શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ને દિવ્યેશ શિવજી સ્વરૂપ વાઘાના શણગાર સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દિવ્ય સત્સંગ એવ વિશ્વ શાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત્ર મંત્ર યજ્ઞનો પ્રારંભ - At This Time

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ને દિવ્યેશ શિવજી સ્વરૂપ વાઘાના શણગાર સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દિવ્ય સત્સંગ એવ વિશ્વ શાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત્ર મંત્ર યજ્ઞનો પ્રારંભ


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.29-07-2022ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન-અભિષેક-આરતી કરવામાં આવેલ.
પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-0૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭-0૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. સ્વામીજી દ્વારા પૂજન-આરતી કરાવી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે. તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.