તખતગઢ હાઇસ્કૂલના શિક્ષકનું નિવૃત્તિ સન્માન - At This Time

તખતગઢ હાઇસ્કૂલના શિક્ષકનું નિવૃત્તિ સન્માન


હિંમતનગર તાલુકાની તખતગઢ કેળવણી મંડળ સંચાલીત, આર.એન.પટેલ હાઇસ્કૂલ તખતગઢમાં ઉ.મા. શિક્ષક તરીકે સતત ૩૩ વર્ષ નિષ્ઠાવન સેવા બજાવી લોકચાહના પ્રાપ્ત કરનાર જીતુભાઈ મોહનભાઈ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. વિદાય શુભેચ્છા સન્માન સમારોહનું કેળવણી મંડળના પ્રમુખ ચંદુભાઈ.જી.પટેલના અધ્યક્ષસ્થાને અને લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ.ડી.છાભૈયા તથા સંત પુરૂષોત્તમાનંદજી મહારાજના મુખ્ય મહેમાનપદે સુંદર આયોજન કરાયું હતું. શાળાના આચાર્ય ચંદુભાઈ.એસ.પટેલ તથા કેળવણી મંડળના મંત્રી દશરથભાઈ.એ.પટેલે સર્વેને આવકારી તેઓની સેવાઓની સરાહના કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.