તલોદ મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ - At This Time

તલોદ મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ


તલોદ શ્રીનાથજી હવેલી ખાતે વૈષ્ણવ સમાજના અખંડ જગદગુરુ મહાપ્રભુજીના ૫૪૭માં પ્રાગટય મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. મંદિર પરિસરમાં વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં વહેલી સવારે મંગલા કેસર સ્નાન, શણગાર, રાજભોગના દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ સાંજના હસુમતીબેન જયંતીલાલ શાહના નિવાસ સ્થાનેથી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હવેલી ખાતે નીજ મંદિરે પરત ફરી હતી. જયંતીલાલ પૂંજાલાલ શાહ પરિવાર તરફથી સમગ્ર વૈષ્ણવોને મહાપ્રસાદ માટે આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીનાથજી હવેલીના ટ્રસ્ટી મંડળ અને સમગ્ર વૈષ્ણવ સમાજે ૫૪૭માં પ્રાગટય દિનનુ સુંદર આયોજન કરી મહાપ્રભુજીનો પ્રાગટય દિવસની ઊજવણી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.