પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો ડભોઇ તાલુકાનાં શીતપુરમાં જયેશભાઈ રોહિતની પ્રેમિકા અને તેનાં દિકરાએ દ્રારા હત્યા - At This Time

પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો ડભોઇ તાલુકાનાં શીતપુરમાં જયેશભાઈ રોહિતની પ્રેમિકા અને તેનાં દિકરાએ દ્રારા હત્યા


રિપોર્ટ:- નિમેષ‌ સોની, ડભોઈ

વડોદરા જિલ્લાનાં ડભોઇ તાલુકાના શીતપુર ગામે રહેતા જયેશભાઈ રોહિત નામના યુવકની હત્યા તેની જ પ્રેમિકા અને પ્રેમિકાના દિકરાએ મળીને કરી દીધી હતી અને તેમનો મૃતદેહ એક નજીકના મકાનના વાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બનતા નવીનગરી અને શીતપુર ગામના રહીશોમાં કોલાહલ મચી જવા પામ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ જયેશભાઈ રોહિત જેઓ છેલ્લાં કેટલાય સમયથી ગામમાં જ રહેતાં કૈલાશબેન વસાવાના ઘરે અવરજવર કરતા હતા અને અને તેઓ સાથે ગાઢ સંબંધ પણ હતાં તેવું ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું. આ કૈલાશબેન વસાવા જેવો પરણિત છે.
છેલ્લા ચાર પાંચ દિવસથી જયેશભાઈ અને કૈલાશબેન વસાવાની વચ્ચે તકરાર ચાલતી હતી. પરંતુ તે તકરારે આજરોજ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જયેશભાઈ કૈલાસબેનના ઘરે ગયા ત્યારે એકાએક બૂમાબૂમ અને અવાજ આવવા લાગ્યો હતો જેથી આસપાસના રહીશો અને જયેશભાઈના કાકાએ ભેગા થઈ સ્થળ ઉપર જઈને જોયું ત્યારે કૈલાશબેને ઘરના પાછળના વાડાના ભાગે જયેશભાઈનું મોઢું દબાવી રાખેલ અને તેમના પુત્ર વિક્રમના હાથમાં લાકડી હતી તેમજ તે જયેશભાઈના શરીર ઉપર મારતો હોઈ તે દ્રશ્ય તેમના કાકા અંબાલાલ માવજીભાઈ રોહિતે જોઈ લીધું હતું અને કૈલાશબેન અને અજય એ જ ભેગાં મળીને તેઓનાં ભત્રીજા જયેશભાઈને મારી નાખ્યો હોવાની હકીકત તેઓએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું.
આ સમગ્ર ઘટનાની જાણ ગામના રહીશો દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશનમાં કરાતાં ડભોઈ પોલીસ સ્ટેશનના જવાનો તાત્કાળ ધોરણે શીતપુર ગામે પહોંચી ગયાં હતાં અને સ્થળ ઉપર બનાવ અંગે તપાસ આદરી મૃતદેહને પીએમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ડભોઈ પોલીસે આ બનાવ અંગે ફરીયાદ નોંધી વિગતે તપાસ હાથ ધરી છે. વધુમાં ડભોઈ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ રિપોર્ટ મેળવ્યા બાદ મૃતકનાં પરિવારજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બનતા ડભોઇ નગર અને તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.