સુરેન્દ્રનગર માહિતી કચેરીમાં માહિતી મદદનીશ અરુણા ડાવરાની બદલી થતા માહિતી કચેરી દ્વારા ભાવભર્યું વિદાયમાન અપાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ac70pnvxfo0enflm/" left="-10"]

સુરેન્દ્રનગર માહિતી કચેરીમાં માહિતી મદદનીશ અરુણા ડાવરાની બદલી થતા માહિતી કચેરી દ્વારા ભાવભર્યું વિદાયમાન અપાયું.


સુરેન્દ્રનગર ખાતે ફરજરત માહિતી મદદનીશ સુશ્રી અરુણા ડાવરાની પ્રકાશન શાખા, ગાંધીનગર ખાતે બદલી થતાં તેમને કચેરી દ્વારા ભાવભર્યું વિદાયમાન આપવામાં આવ્યું હતું ૨૩ મે ૨૦૨૨થી અરુણા ડાવરા જિલ્લા માહિતી કચેરી સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા હતા આ પ્રસંગે નાયબ માહિતી નિયામકએ સુશ્રી અરુણા ડાવરાની સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે, હાજર થયા ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે કચેરીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે કચેરી કામ અર્થે કચેરી સમય બાદ અને જરૂર જણાયે રજાના દિવસોમાં પણ ખૂબ ઉત્સાહ સાથે કાર્ય કર્યું છે જે અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાદાયી બાબત રહી છે કામમાં પહેલવૃત્તિ અને સોંપવામાં આવેલ દરેક કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સુશ્રી અરુણા ડાવરાની કાર્યદક્ષતાના તેમણે વખાણ કર્યા હતા કામ બાબતે સતત સતર્ક રહેતા અને ટીમ વર્કની ભાવનાથી કાર્ય કરનાર અરુણા ડાવરાને નાયબ માહિતી નિયામકએ પ્રકાશન શાખાની કામગીરી પણ ખુબ જ ઉત્સાહપૂર્વક કરવા શુભેચ્છાઓ પાઠવી હતી માહિતી મદદનીશ સુશ્રી અરુણા ડાવરાએ જણાવ્યું હતું કે, માહિતી મદદનીશ તરીકે હાજર થયા ત્યારથી લઈને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન તમામ સ્ટાફ મિત્રોના મળેલા સહકારને તેમજ માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા. તેઓને કચેરી ખાતે કામગીરી કરવામાં ખૂબ જ સંતોષ મળ્યો છે તેમ તેમણે આનંદપૂર્વક જણાવ્યું હતું આ ઉપરાંત તેમણે સાથી કર્મચારીઓના પ્રેમ, લાગણીને યાદ કરી બધાનો શુભેચ્છા સાથે આભાર માન્યો હતો આ પ્રસંગે માહિતી પરિવારના કર્મયોગી સર્વશ્રી શક્તિ મુંધવા, શિવરામ આલ, કદર્મ વ્યાસ, આર.એચ.પરમાર, અજય મહેતા, ફૈઝલ ચૌહાણ, અનુપસિંહ પરમાર, હબીબભાઈ ખોખરે અરુણા ડાવરાને શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]