રાજકોટનાં પુષ્કરધામ રોડ પર કાર્યક્રમને લઈ ક્ષત્રિય સમાજનો વિરોધ, કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી - At This Time

રાજકોટનાં પુષ્કરધામ રોડ પર કાર્યક્રમને લઈ ક્ષત્રિય સમાજનો વિરોધ, કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી


રાજકોટની લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનાં નિવેદનને લઈને ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. ઠેર-ઠેર ભાજપનાં કાર્યક્રમનો વિરોધ ક્ષત્રિય સમાજનાં યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે રાજકોટનાં પુષ્કરધામ રોડ પર રૂપાલાનાં કાર્યક્રમને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા 'રૂપાલા હાય હાય' તેમજ 'જય ભવાની'નાં નારા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે ક્ષત્રિય સમાજનો વિરોધ હોવાને કારણે રૂપાલાએ આ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.