બજરંગવાડીમાં સફાઈકર્મીનું બેભાન હાલતમાં મોત - At This Time

બજરંગવાડીમાં સફાઈકર્મીનું બેભાન હાલતમાં મોત


જામનગર રોડ પરના પરસાણા નગરમાં રહેતા ભરતભાઈ ચમનભાઈ ધાવરી, (ઉ.વ.44) ગત રોજ બજરંગવાડી-3માં રહેતાં તેના વેવાઈના ઘરે બેસવા માટે ગયેલા હતાં.ત્યારે અચાનક એટેક આવતાં બે-ભાન થઈ ઢળી પડયા હતાં. જેમને સારવારમાં ખસેડાયા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં દોડી જઈ કાગળો કર્યા હતાં.વધુમાં મૃતક આરએમસીમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવતાં અને પાંચ ભાઈ બહેનમાં નાના અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.