વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે - At This Time

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે


સ.ગુ.બાલકૃષ્ણદાસજી સ્વામી, ગોવિંદપ્રસાદદાસજી સ્વામી,સ.ગુ.શ્રી દેવપ્રકાશદાસજીસ્વામી (ચેરમેન),શાસ્ત્રી ડો.સંતવલ્લભદાસજી સ્વામી(મુખ્ય કોઠારી) વડતાલધામ તથા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત તા. 07-01-2023ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી 151 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા તેમજ 7:00 કલાકે શણગાર આરતી કોઠારીસ્વામી દ્વારા કરવામાં આવેલ તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.