અરવલ્લી જિલ્લામાં યોજાશે ભારતીય હવાઈદળમાં અગ્નીવીરની ભરતી કરવા ભરતી મેળો - At This Time

અરવલ્લી જિલ્લામાં યોજાશે ભારતીય હવાઈદળમાં અગ્નીવીરની ભરતી કરવા ભરતી મેળો


ભારતીય હવાઈદળમાં અગ્નીવીરની ભરતી કરવામાં આવનાર છે.આ ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન એરફોર્સની વેબસાઈટ પર https://indianirforce.nic.in અથવા https://indianirforce.nic.in પર તારીખ 5 જુલાઈ સાંજે 5 કલાક સુધીમાં કરવું જરૂરી છે.આ ભરતીમાં ફકત પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે.

સદર ભરતીમાં કેન્દ્રીય/રાજ્ય પરિક્ષા બોર્ડ ધો.૧૨(૧૦+૨)માં વિજ્ઞાન પ્રવાહમાં ૫૦% માર્કસ તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ % માર્કસ સાથે પાસ થયેલ હોવો જોઇએ અથવા ડીપ્લોમાં કોર્સ ૦૩ વર્ષ (મિકેનીકલ/ઇલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનીકસ /ઓટોમોબાઈલ/કોમ્પુટર સાયન્સ/ઇન્સટુમેન્ટ ટેકનોલોજી /આઈ.ટી ટેકનોલોજી સરકારી માન્ય પોલીટેકનીકમાંથી ડીપ્લોમાં ૫૦ % માર્કસ સાથે પાસ થયેલ હોવો જોઇએ અથવા અંગ્રેજી, ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિષય સાથે નોન-વોકેશનલ કોર્સ સહિત બે વર્ષનાં વ્યાવસાયિક કોર્સકરેલ હોવો જોઈએ.

જે ઉમેદવારોની જન્મ તારીખ તા.૨૯/૧૨/૧૯૯૯ થી ૨૯/૦૬/૨૦૦૫ ની વચ્ચે ઉંમર ધરાવતા ઉમેદવારો ૧૫૨.૫-સે.મી ઉંચાઇ અને ઉંચાઈ અને ઉમર મુજબ નો વજન હોવો જોઇએ. આ સાથે રાખવાના પ્રમાણપત્રો/વસ્તુઓ/કલરફોટા/મેડીકલ/સ્ટાન્ડર્ડ વગેરની વધુ માહિતી માટે https://indianirforce.nic.in અથવા https://indianirforce.nic.in વેબસાઇટ જોવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.