ગુરુપૂર્ણિમા ના પાવન અવસરે બરવાળા નગરમાં સુરાપરાધામ ભોળાદ ના ભુવાજીની પધરામણી - At This Time

ગુરુપૂર્ણિમા ના પાવન અવસરે બરવાળા નગરમાં સુરાપરાધામ ભોળાદ ના ભુવાજીની પધરામણી


વર્તમાન સમયમાં દવા નહીં પરંતુ દુવાથી અનેક લોકોના દુઃખો, આધિ,વ્યાધિ,ઉપાધિ તેમજ અનેક પ્રકારની મૂંઝવણ ને દૂર કરી લોકોને વ્યસન મુક્તિ તરફ વાળી રહેલા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ના ભોળાદ ગામે ધર્મની ધજા ફરકાવનાર તેમજ અંધશ્રદ્ધા અને પાખંડીઓ દ્વારા લોકોને ખોટી બાધાઓ આપી ગેરમાર્ગે દોરતા ધર્મ-પાખંડીઓ માંથી મુકિત અપાવનાર સુરાપુરા ધામ- ભોળાદ ના ભુવાજી દાનભા બાપુ બરવાળા મુકામે પધારેલા.કે.પી મોટર્સ બરવાળા દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવેલ તેમજ ધનશ્રી - કરણી ક્રેડિટ સોસાયટીની ઓફિસે પધરામણી કરેલ અને ઉપસ્થિત સૌને આશિર્વચન પાઠવેલ જ્યાં દાનભા બાપુ નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ બરવાળા નાગરમાં પાટશેરી ,રાજપૂત શેરી( ખામીદાણા દરવાજા) તેમજ મોરી પરા (બસ સ્ટેન્ડ પાસે) વિસ્તારમાં સેવક સમુદાય ના ઘરે પધરામણી કરેલ અને સૌને સુખ- શાંતિ મળે તેવા આશિર્વચન પાઠવેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.