શ્રી યોગીરાજ વિદ્યામંદિર- બોટાદ માં ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3i1d1ojakdgkefya/" left="-10"]

શ્રી યોગીરાજ વિદ્યામંદિર- બોટાદ માં ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ


શ્રી યોગીરાજ વિદ્યામંદિર- બોટાદ માં ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ

શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ ખાતે ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય/શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવેલ શાળા ટ્રસ્ટી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યકમને ખુલ્લો મુકવામાં આવેલ.
શાળાના ટ્રસ્ટીએ તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પરિક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ પરીક્ષામાં ઉતિર્ણ થાવ તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.
ધોરણ ૧૦/૧૨ના વિધાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા અને શાળામાં ઘણા વર્ષોના અભ્યાસ બાદ શાળામાંથી વિદાય લેતા વિધાર્થીઓ જુના સંસ્મરણો વાગોળતા ભાવુક બની ગયા હતા
વિદ્યાર્થીઓ દ્વારા ઋષિપરંપરા અનુસાર ગુરુજનોને ગીફ્ટ આપવામાં આવી હતી અને શાળાને યાદગાર રહેતે માટે મોમેન્ટ શાળાને અર્પણ કરવામાં આવી હતી.
શાળા દ્વારા વિદ્યાર્થીઓને ગીફ્ટ આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓ માટે નાસ્તાનું સુંદર આયોજન શાળા તરફથી કરવામાં આવેલ. કાર્યકમને સફળ બનાવવા શાળા પરિવાર ખુબજ જહેમત ઉઠાવામાં આવેલ.

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]