અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અર્બન ચાર રસ્તા પાસે આશરે ૭૦ થી ૭૫ વર્ષના બુઝુર્ગ રિક્ષા ચાલક નું થયું અચાનક મૃત્યુ. - At This Time

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અર્બન ચાર રસ્તા પાસે આશરે ૭૦ થી ૭૫ વર્ષના બુઝુર્ગ રિક્ષા ચાલક નું થયું અચાનક મૃત્યુ.


સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અર્બન નગર ચાર પાસે રિક્ષા ચાલકનું મોત. ત્યાંના સ્થાનિક લોકો અનુસાર રિક્ષા ચાલક રિક્ષામાં બેઠા હતા અને અચનાક જ રિક્ષામાં ઢળી પડ્યા. સ્થાનિક લોકો નાં જણાવ્યા અનુસાર તેમનું મોત હાર્ટએટેક નાં કારણે થયું. આ ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતક વ્યક્તિ ની ઓળખ કરી તેમનાં પરિવારજનો આ મામલે જાણ કરી હતી. પરિવારજનો એ પોસ્ટમોર્ટમ નહી કરવા જણાવતા પોલીસે બોડી પરિવારજનો ને સુપ્રત કરી હતી,એવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.અનુમાન લગાવવામાં આવ્યું હતું 70 થી 75 વર્ષના રિક્ષા ચાલક બુઝુર્ગ ને અસહ્ય ગરમી ને કારણે હાર્ટએટેક આવ્યો અને મોત નિપજ્યું હશે. સત્યાર્થતાની ચકાસણી કરવા માટે અમે રાત્રે 1:20 કલાકે બાપુનગર પોલીસ સ્ટેશનના લેન્ડ લાઈન નંબર 079 2274 0036 પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો. કહેવાય છે કે પોલીસ અને પત્રકાર 24/7 કાર્યરત હોય છે. પરંતુ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ટેલિફોન સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં કોઈ પણ પોલીસકર્મી દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો.

(ઉપરોક્ત તમામ વિગત અમારા વિશ્વાસુ સૂત્રો પાસેથી મળેલી છે.)

રિપોર્ટ બાય : સૌરાંગ ઠક્કર, અમદાવાદ જિલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.