બરવાળાની સંસ્કારભારતી વિદ્યામંદિર તથા સરસ્વતી વિદ્યામંદિરનો વાર્ષિકોત્સવ યોજાયો - At This Time

બરવાળાની સંસ્કારભારતી વિદ્યામંદિર તથા સરસ્વતી વિદ્યામંદિરનો વાર્ષિકોત્સવ યોજાયો


તાજેતરમાં બરવાળાની શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિરનો 10મો તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિરનો 26મો વાર્ષિકોત્સવ યોજાયો હતો, વાર્ષિકોત્સવ પ્રસંગે બરવાળાના વતની દેવાંગીબેન ભટ્ટ કે જેઓએ સાહિત્ય, નાટ્ય, ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે મેળવેલ વિશિષ્ટ સિદ્ધિઓ બદલ આવિષ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, તથા બંન્ને શાળાના બાળકોને ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં મેળવેલ સિદ્ધિઓ બદલ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા હતા, દેવાંગી ભટ્ટે પોતાના વક્તવ્યમાં બાળકોને જીવન ઉપયોગી પ્રેરણાત્મક પ્રવચન કર્યું હતું અને વાલી શ્રીઓને ખાસ જણાવ્યું હતું કે બાળકો ઉપર વધુ પડતું ભારણ નો મૂકવું અને પોતાનું બાળક દરેક ક્ષેત્રમા અવ્વલ રહે તેવી અપેક્ષા નો રાખવી બાળકોને તેની સ્કિલ પ્રમાણે ખીલવા દેજો, વાર્ષિકોત્સવ મા બંન્ને શાળાના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો, શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે ઉચિત સમયે આપણે સજ્જન વ્યક્તિનું સન્માન કરવુંજ જોઈએ, વાર્ષિકોત્સવ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપના પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, રમેશભાઈ ગાંધી, કિશોરભાઈ ભટ્ટ, તથા બરવાળાના અગ્રણી શ્રી દિલુભા ઝાલા તથા અન્ય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.