લાકડિયા માં રખડતી બિમાર ગાયો ને સારવાર કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0rlfgida8on1kwoc/" left="-10"]

લાકડિયા માં રખડતી બિમાર ગાયો ને સારવાર કરવામાં આવી


લાકડિયા ગામ માં બિમાર ગાયો ને સારવાર આપવામાં આવી જેમાં લાકડિયા પાંજરાપોળ ના ડૉ અજુભા જાડેજા તેમજ સરકારી પશુ ડો પરેશભાઈ ચૌધરી દ્વારા ગામમાં ફરી રહેલ બિમાર ગાયો ને સારવાર પૂરી પાડવામાં આવી હતી જેમાં પોતાની ફરજ સાથે એક માનવતા નું ઉમદા કાર્ય કર્યું હતું આજે સવારે એમને ફોન કરીને જણાવ્યું હતું કે એક ગાય બિમાર છે જેની હાલત ગંભીર છે તો બીજી ગાયો ને પાંજરાપોળમાં વેક્સિન આપતાં હતાં તે થોડા સમય માટે બંધ કરી અને આવી ફરી રહેલ ગાયો જે જોવા મળી તેમણે ખુબજ સારી સારવાર પૂરી પાડી હતી અને આ બિમાર ગાયો ને આ સારવાર ત્રણ દિવસ સુધી કરવી પડે તો આ ગાય ને આ બિમારી માંથી બચાવી શકાય એમ જણાવ્યું હતું
જેથી તેમના ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી
જેમ મનુષ્યમાં કોઈ રોગ ફેલાય અને સમયસર તેના પર ધ્યાન આપવામાં ન આવે તો તે ઘાતક બને છે, એવી જ રીતે પશુમાં પણ હોય છે. હાલમાં ગાય અને ભેંસમાં એક વિચિત્ર રોગ ફેલાયો છે, ગુજરાતમાં ગાયોમાં આ રોગ વધુ જોવા મળી રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]