પાળીયાદ મહાજન પાંજરાપોળના સંકુલમાં નૂતન નવનિર્માણ શેડ નું લોકાર્પણ. - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળના સંકુલમાં નૂતન નવનિર્માણ શેડ નું લોકાર્પણ.


પાળીયાદ મહાજન પાંજરાપોળના સંકુલમાં નૂતન નવનિર્માણ શેડ નું લોકાર્પણ...

આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળના સંકુલમાં આદિજિંગ યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ના સહયોગથી નૂતન નવનિર્માણ શેડ નું શુભ ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો જેમાં પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના મહંત પરમ પૂજ્ય 1008 શ્રી નિર્મળાબા ના હાથે ઉદ્ધાટન કરવામાં આવ્યું જેમાં હડમતાળા હનુમાનજી મંદિર ના મહંત પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસ બાપુ બોટાદ સંપ્રદાયના પરમ પૂજ્ય રસીલાબાઈ મહાસતીજી તથા ગુણવતીબાઈ મહાસતીજી આદિ થાણા 5 હજાર રહેલ શેડના દાતા શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી અંદાજે અઢીસોથી વધારે પશુઓ માટે આવાસ માટેના નવા શેડ નું નિર્માણ થયું. જેમાં એનિમલ વેલ્ફેર બોર્ડના ચેરમેન ગીરીશભાઈ શાહ તથા આદી જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ના ચેરમેન જયેશભાઈ જરીવાળા તથા મિત્તલ ભાઈ ખેતાણી રાજકોટ શ્રીપાળીયા દઆજના ગૌતમ પ્રસાદ ના દાતાશ્રી માતૃ શ્રી સ્વ.વિમળાબેન છોટાલાલ ગોપાણી હસ્તે માતૃશ્રી વસંતબેન હસમુખભાઈ ગોપાણી પાળીયાદ વાળા મુંબઈ તરફથી આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ નું સંસાલન વિમલભાઈ ગાંધીકરેલ પાળિયાદ તેમજ આજુબાજુ વિસ્તારના જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો બહુ બહોળી સંખ્યામાં હાજર રહેલ કાર્યક્રમ ને સફળ બનાવવા નાગરભાઈ ગામી તથા કનુભાઈ ધાધલ તથા ભાવેશભાઈ બારભાયા નાગજીભાઈ ચાંદપરા તથા સ્થાનકવાસી જૈન સંઘ તથા મૂર્તિપૂજક જૈન સંઘ ભાઈ તથા અન્ય જીવદયા પ્રેમી ભાઈ ઓનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.