AMC ના દબાણ ખાતાની ખોખરા વિસ્તારની આ હરકત નો ઉદ્દેશ શું હતો અને આ કામગીરી પાછળ ખરેખર કોણ છે જવાબદાર...? - At This Time

AMC ના દબાણ ખાતાની ખોખરા વિસ્તારની આ હરકત નો ઉદ્દેશ શું હતો અને આ કામગીરી પાછળ ખરેખર કોણ છે જવાબદાર…?


મળતી માહિતી મુજબ અમદાવાદ માં તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ બપોરે ૧૨ :૦૦ કલાક ની આજુબાજુ ખોખરા વિસ્તારમાં ખોખરા સર્કલ પાસે વિસ્તાર માં AMC ની દબાણ ખાતા ની લાગણી દુભાય એવી કામગીરી સામે સ્થાનિક નાગરિકો રોષે ભરાયાં હતાં,

AMC ની દબાણ ખાતા ની ટીમ નો વિરોધ અને રોષ નું કારણ દબાણ ખાતા ની ટીમ દ્વારા શ્રી રામ ભગવાન ના કાર્યક્રમો ના બેનરો ઉતારવા લાગ્યા હતા અને સૌ સ્થાનિક રહીશો એ હોબાળો કરતા AMC ના દબાણ ખાતા ની ટીમ દ્વારા સાહેબ ના આદેશ મુજબ કામગીરી થઇ રહી છે એવું સ્પષ્ટ વીડિઓ માં સાંભળી શકાય છે તો આ કયા સાહેબ ના આદેશ હતા એ દિશામાં પગલાં લેશે AMC ના સત્તાધીશો...?

શું કામ આ કામગીરી આ સમયે કરવાનું કોણ કહ્યું અને કેમ કહ્યું હતું એ જાણવું ખુબ જરૂરી છે, આ કામગીરી ને લઈ જો અમદાવાદ શહેર નું શાંત વાતાવરણ ડહોળાયું હોત તો કોણ જવાબદારી લેતું AMC નું દબાણ ખાતું...?

જે કોઈ પણ આ કામ ના આદેશ કરનાર AMC ના કર્મચારી ઉપર તાત્કાલિક તપાસ કરી AMC ના સત્તાધીશો એ યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ એવી સ્થાનિક રહીશો અને જાહેર જનતાની માંગ ઉઠી હતી.

Report :- Keyur Thakkar
Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.