બોટાદ નગરપાલિકાના વહીવટદારના જાહેરનામા અંતર્ગત ડ્રાઇવ - At This Time

બોટાદ નગરપાલિકાના વહીવટદારના જાહેરનામા અંતર્ગત ડ્રાઇવ


બોટાદ નગરપાલિકાના વહીવટદારના જાહેરનામા અંતર્ગત ડ્રાઇવ

૨૨ મી તારીખના રોજ નગર પાલિકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના અને નોન વેજ ની દુકાનો બંધ રાખવા સમજૂત કરાયા

આગામી તારીખ 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવ નિમિત્તે બોટાદના વહીવટદાર ચરણસિંહ ગોહિલ અને ચીફ ઓફિસર ગોસ્વામી દ્વારા અભૂતપૂર્વ નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત તમામ કતલખાનાઓ અને નોનવેજની દુકાનો બંધ રાખવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત નગરપાલિકાના સ્ટાફને તથા ચીફ ઓફિસર ને પણ આ બાબતનું કડક અમલીકરણ થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.જે અંતર્ગત નગરપાલિકા સ્ટાફ દ્વારા બોટાદના વિવિધ સ્થળે ડ્રાઇવ યોજવામાં આવી હતી અને જાહેરનામાનું કડક અમલીકરણ સુનિશ્ચિત કર્યું હતું તેમ નગર પાલિકાના વહીવટદારએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.