આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે તો કેટલાક સ્થળો નો પાર્કિંગ ઝોન જાહેર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yedcxcwzrz8rjarc/" left="-10"]

આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે તો કેટલાક સ્થળો નો પાર્કિંગ ઝોન જાહેર


આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે તો કેટલાક સ્થળો નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા

શહેરમાં કેટલાંક માર્ગો પરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું

 આણંદ શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા શહેરના કેટલાક રૂટ ઉપર તા. ૩૦/૦૩/૨૦૨૪ સુધી વન-વે ટ્રાફીક ચલાવવા હુકમ ફરમાવેલ છે.

જે અંતર્ગત આણંદ નગર વિસ્તારના રોડ પૈકી આણંદ ગોપાલ ચાર રસ્તાથી રેલ્વે ગોદી ત૨ફ જઈ શકાશે પરંતુ રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરી શકાશે નહી. તેવી જ રીતે જુના બસ સ્ટેશનથી ગોકુલ રેસ્ટોરન્ટ (ડી.વાય.એસ.પી.કચેરી) તરફ વાહનો જઈ શકશે પરંતુ ગોકુલ રેસ્ટોરન્ટ (ડી.વાય.એસ.પી.કચેરી) થી જુના બસ સ્ટેશન તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.આણંદ જિલ્લામાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ. દેસાઈએ આણંદ શહેરના કેટલાક સ્થળોને તા. ૩૦/૦૩/૨૦૨૪ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવા હુકમ ફરમાવેલ છે.

આ હુકમ અન્વયે રેલ્વે સ્ટેશન જુના દાદર, ગુજરાતી ચોક આસપાસ, રેલ્વે ગોદીના ગેટની બહાર રોડ ઉપર, નવા બસ સ્ટેન્ડના બન્ને ગેટની બહાર તથા નગરપાલિકા સરકારી દવાખાનાના ગેટની બહારના ૫૦ મીટર વિસ્તારમાં વાહનો પાર્ક કરવા પર તેમજ અમુલ ડેરી ખાતે આવેલ પાર્લરની આગળ અને શાક માર્કેટના ગેટની બહારનાં ૫૦ મીટર વિસ્તારમાં ફોર વ્હીલ વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સ્થળોના બદલે ગુરૂદ્વારા સર્કલથી ડી-માર્ટ, તુલસી ગરનાળા સુધી ફોર વ્હીલ વાહનો, મોટી શાક માર્કેટ તરફના રોડ ઉપર નિયત સંખ્યામાં ટુ-વ્હિલર, રેલ્વે સ્ટેશનનાં એકઝીટ ગેટ પાસે નિયત સંખ્યામાં રીક્ષાઓ, નવા બસ સ્ટેશનનાં બન્ને ગેટની સામેના રોડ ઉપર નિયત સંખ્યામાં વાહનો, બેઠક મંદિર વાળા રોડના કોર્નરમાં તેમજ નવા બસ સ્ટેન્ડના બીજા ગેટ સામે બગીચાની દિવાલે નિયત સંખ્યામાં રીક્ષાઓ પાર્ક કરી શકાશે. આ ઉપરાંત રેલ્વે ગોદીથી ગામડી વડ સુધીના રોડ તથા શાસ્ત્રી મેદાનથી એન. એસ. પટેલ સર્કલ સુધી એકી-બેકી પાર્કીંગ કરી શકાશે.

આ પ્રતિબંધ સ૨કારી વાહનો, એમ્બ્યુલન્સ વાન અને ફા૨યબ્રીગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈને આધિન શિક્ષાને પાત્ર થશે.

આણંદ શહેરમાં કેટલાંક માર્ગો પરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ
આણંદ જિલ્લામાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ તથા વિદ્યાનગર શહેર વિસ્તારના કેટલાંક માર્ગો પર તા. ૩૦/૦૩/૨૦૨૪ સુધી સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રીના ૦૮-૦૦ કલાક સુધી તમામ પ્રકારના ભારે માલવાહક વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફ૨માવેલ છે.

આ હુકમ અન્વયે મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક ત૨ફથી શહેરમાં પ્રવેશતા, એન.એસ.સર્કલથી લક્ષ્મી ચોકડી ત૨ફથી શહેરમાં પ્રવેશતા, ૨ઘુવિ૨ સીટી સેન્ટરથી કોમ્યુનિટી હોલ તરફથી શહેરમાં પ્રવેશતા, દિપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સિનેમા તરફથી શહે૨માં પ્રવેશતા, નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદિર ત૨ફથી શહેરમાં પ્રવેશતા, લોટીયા ભાગોળ સર્કલથી ટાવર બજાર તરફથી શહે૨માં પ્રવેશતા તથા અમુલ ડેરી સર્કલથી સ્ટેશન ત૨ફથી શહે૨માં પ્રવેશતા ભારે માલવાહક વાહનોના સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રીના ૦૮-૦૦ કલાક સુધી પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]