મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારના વરદહસ્તે બોટાદના સરકારી કુમાર છાત્રાલયનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે - At This Time

મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારના વરદહસ્તે બોટાદના સરકારી કુમાર છાત્રાલયનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે


*આજે મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારના વરદહસ્તે બોટાદના સરકારી કુમાર છાત્રાલયનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે*
--------------------

:- ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના આદર્શો અને મૂલ્યોને મૂર્તિમંત કરવાના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના સરકારી કુમાર છાત્રાલય બોટાદનું ખાતમુહૂર્ત ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારના વરદ હસ્તે તા.૭ મી જુલાઇ, ૨૦૨૨ ને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે બોટાદની જી.આઇ.ડી.સી, પાળીયાદ રોડ ખાતે બોટાદની સરકારી કુમાર છાત્રાલયનું ખાતમૂહૂર્ત કરાશે. ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાક નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ ( સ્વતંત્ર હવાલો), અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયા, સંસદસભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ વિરાણીની વિશેષ ઉપસ્થિતી તેમજ ગઢડાના ધારાસભ્ય શ્રી આત્મારામભાઇ પરમાર, બોટાદના ધારાસભ્ય શ્રી સૌરભભાઇ પટેલ, ધંધુકાના ધારાસભ્ય શ્રી રાજેશભાઇ ગોહિલ અને જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી જેઠીબેન પરમાર અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહેશે.
૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.