વિસાવદર કોર્ટમાં યોજાઈ નેશનલ લોક અદાલત: એકજ દિવસમાં કરાયો બે કરોડ ત્રાણુ લાખ બેતાળીશ હજાર આઠસો ઓગણ સિત્તેર રૂપિયા ના ઐતિહાસિક ૩૦૯ કેસોનો ન્યાયિક નિકાલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w9bzbjcc7vzbzzu7/" left="-10"]

વિસાવદર કોર્ટમાં યોજાઈ નેશનલ લોક અદાલત: એકજ દિવસમાં કરાયો બે કરોડ ત્રાણુ લાખ બેતાળીશ હજાર આઠસો ઓગણ સિત્તેર રૂપિયા ના ઐતિહાસિક ૩૦૯ કેસોનો ન્યાયિક નિકાલ


વિસાવદર કોર્ટમાં યોજાઈ નેશનલ લોક અદાલત: એકજ દિવસમાં કરાયો બે કરોડ ત્રાણુ લાખ બેતાળીશ હજાર આઠસો ઓગણ સિત્તેર રૂપિયા ના ઐતિહાસિક ૩૦૯ કેસોનો ન્યાયિક નિકાલવિસાવદરમાં આજરોજ તા.૦૯/૦૩/૨૪ના રોજ નાલ્સાની ગાઈડ લાઇન મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને અધિક જિલ્લા ન્યાયાધીશશ્રી જે.એલ. શ્રીમાળી સાહેબની ઉપસ્થિતીમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં લીટીગેશન અને પ્રિલિટીગેશન સહિતના કુલ રૂપિયા બે કરોડ ત્રાણુ લાખ બેતાળીશ હજાર આઠસો ઓગણ સિત્તેર રૂપિયા પુરાના ૩૦૯ કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને ૩૦૯ કેસોનો સુખદ નિકાલ થતાં લોક અદાલતનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત થયુ હતું. જેમાં સ્પેશિયલ સિટિંગમાં કુલ- ૬૪ કેસમાં રૂપિયા ૧૨,૮૦૦/-નો દંડ વસુલ લેવામાં આવેલ હતો. જેમાં ચાલુ ૨૪૮ કેસોનો નિકાલ કરવામાં આવેલ તથા ૬૧પ્રિલિટીગેશન કેસો મળી કુલ ૩૦૯ કેસોનો ઐતિહાસિક ન્યાયિક નિકાલ કરતા વિસાવદર કોર્ટમાં લોક અદાલતનું ઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું હતું
આ લોક અદાલતમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખશ્રી રમેશ ધાધલ,સીરાજભાઈ માડકીયા, વિજય જેઠવા,સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ, નયનભાઇ જોશી, અશ્વિનભાઈદુધરેજીયા,સમીરભાઈપટેલ, કમલેશભાઈજોશી, યુ.બી. દાહીમાં, એચ.કે.સાવલિયા તથા સ્ટેટ બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા તથા પી.જી.વી.સી.એલની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલા અને પક્ષકારોને સમજાવટ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપેલ હતો. વિસાવદર કોર્ટના સુપ્રિટેન્ડન્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી,પી.પી.પાણેરી, અનુપભાઈ વાઘેલા, સુધીરભાઈ ચાવડા, એમ.આર.પોરડીયા તથા તમામ કોર્ટ સ્ટાફે લોક અદાલતને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ હતી. આ પ્રસંગે સવારના ૧૦-૩૦ કલાકે દીપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવેલ હતી ત્યારથી પક્ષકારોની મોટા પ્રમાણમાં હાજરી અને ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવી હતી. મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એસ. ત્રિવેદી સાહેબે આ પ્રસંગે લોક અદાલતનું અને સમાધાનનું સમાજમાં મહત્વ સમજાવતું ઉદ્દબોધન કરેલ હતું. વિસાવદર કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી લોક અદાલતને સફળ બનાવવા માટે બન્ને ન્યાયાધીશ સાહેબો તથા કોર્ટ સ્ટાફ અને વકીલશ્રીઓ દ્વારા સતત પ્રયાસો કરી લોક અદાલતને સફળ બનાવી હતી.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]