વ્હેલશાર્કના ગુજરાતના દરિયામાં પરિભ્રમણ,રહેઠાણ અને સ્થળાંતર વિષે સેટેલાઇટ ટેગિંગ દ્વારા વૈજ્ઞાનિક સંશોધન કાર્ય: - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w7rd54mo2iouf7ii/" left="-10"]

વ્હેલશાર્કના ગુજરાતના દરિયામાં પરિભ્રમણ,રહેઠાણ અને સ્થળાંતર વિષે સેટેલાઇટ ટેગિંગ દ્વારા વૈજ્ઞાનિક સંશોધન કાર્ય:


ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર સમુદ્ર કિનારા પર વિશ્વની સૌથી વિશાળકાય માછલી, વ્હેલ શાર્ક પોતાને સાનુકૂળ પરિબળો અને જૈવિક જરૂરિયાતો મળી રહેવાથી ગુજરાતનાં દરિયામાં આ દુર્લભ પ્રજાતિની માછલી વસવાટ કરવાનું પસંદ કરે છે. ગુજરાતના દરિયા કિનારે આ મહાકાય દુર્લભ પ્રજાતિની માછલીના સંરક્ષણ અને સંવર્ધન તેમજ તેના પરિભ્રમણ માટેની પેટર્ન્સ સમજવાનો ઉદ્દેશ્ય સાથે, વન વિભાગ ગુજરાત રાજય અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત ઉપક્રમે કાર્યરત વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત પાંચ (૫) સેટેલાઇટટેગ લગાવવામાં આવનાર છે.

નાયબ વન સંરક્ષકશ્રી, જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ અક્ષય જોશી ના સીધા માર્ગદર્શન હેઠળ તા. ૨૮ માર્ચ, ૨૦૨૪ના દિવસે વેરાવળ ફિશિંગહાર્બરથી ૧૨ કિમી દૂર આકસ્મિક રીતે માછીમારીની જાળમાં ફસાયેલ ૨૭ ફૂટ લાંબી નર વ્હેલશાર્કને રેસ્ક્યું ઓપરેશન વડે સુરક્ષિત પરત છોડી મૂકતાની સાથે તેના પર SPOT 257D સેટેલાઇટ ટેગ લગાવવામાં આવેલ છે.
વેરાવળના રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમ તેમજ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની ફીલ્ડ ટીમ દ્વારા આ વ્હેલશાર્ક પર સેટેલાઈટ ટ્રાન્સમીટર લગાવવાનું કામ સંપાદિત કરવા માટે કામગીરી કરાઈ હતી. તે પ્રક્રિયાનું પૂર્ણ થવા અને આ દરિયાઈ વન્યપ્રાણીને સમુદ્રમાં પ્રકૃતિ સંપન્ન સ્થિતિમાં છોડવામાટે ૨૫ મિનિટનો સમય લાગ્યો. વર્ષ 2011 થી2017 દરમિયાન, જૂનાગઢ વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (WTI) દ્વારા વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત જુદા જુદા આઠ જેટલા સેટેલાઈટટેગ લગાવવામાં આવેલ હતા. આ વૈજ્ઞાનિક સંશોધન કાર્ય દ્વારા વ્હેલશાર્કના ગુજરાતનાં દરિયામાં પરિભ્રમણ અને તેના વસવાટ અનુસંધાને ખુબજ મહત્વની માહિતી પ્રાપ્ત થયેલ છે.
ગુજરાતમાં વ્હેલશાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત સહ-સંકલિત વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ ભારતની દરિયાઈ વન્યજીવ પ્રાણીઓના સફળ સંચાલન કામગીરી માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પડે છે જેમાં ગુજરાત રાજ્યના વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોની સાથે સાથે ટાટા કેમીકલ્સ લી. ના સહયોગ વડે ગુજરાતના સાગરખેડુઓ અને તેના આગેવાનોનું વિશિષ્ટ યોગદાન અને સક્રિય ભાગીદારી સાથે સાથ-સહકાર મળી રહેલ છે. જેના પરીણામ સ્વરૂપે ગુજરાતનાં દરિયાકાંઠે કાર્યરત આ વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત છેલ્લા બે દાયકાના સમયગાળા દરમિયાન લગભગ ૯૩૦ થી પણ વધુ આકસ્મિક રીતે માછીમારીની જાળમાં ફસાયેલ વ્હેલ શાર્ક માછલીઓને ગુજરાતનાં સાગરખેડુઓ દ્વારા પોતાની અમુલ્ય જાળને કાપીને સુરક્ષિત છોડી મૂકી તેનો જીવ બચાવી લીધેલ છે અને જૂનાગઢ વન વિભાગ દ્વારા તેમને પોતાની જાળના નુક્શાન પેટે આર્થિક વળતર ચૂકવવામાં આવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]