સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ શહેર ના શ્રી રવિભાણ સંપ્રદાય શ્રી અક્કલ સાહેબ ની જગ્યા ના મહંત શ્રી કૃષ્ણવંદન મહારાજ ને આજ રોજ અમદાવાદ ખાતે શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર ની પદવી આપવા માં આવી - At This Time

સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ શહેર ના શ્રી રવિભાણ સંપ્રદાય શ્રી અક્કલ સાહેબ ની જગ્યા ના મહંત શ્રી કૃષ્ણવંદન મહારાજ ને આજ રોજ અમદાવાદ ખાતે શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર ની પદવી આપવા માં આવી


તા:-૩૦/૦૪/૨૦૨૪
અમદાવાદ

પાચાળ ભૂમિ થાનગઢની રવિભાણ સંપ્રદાયની એકમાત્ર દેહાણ ગાદી એટલે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસ્વરૂપ સંતશ્રી અક્કલસાહેબ ની જગ્યા ના મહંત શ્રી ૧૦૮ કૃષ્ણનંદગીરી જી મહરાજ ગુરુ શ્રી હરિપ્રસાદજી સાહેબને વિક્રમ સંવત ૨૦૮૦ ચૈત્ર વદ ષષ્ટમી ૩૦ એપ્રિલ ૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે જગતગુરુ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ મહેન્દ્રાનંદગીરીજી મહારાજ, શ્રી મહંત હરિગીરીજી મહારાજ (મહામંત્રી અખિલ ભારતીય અખાડા પરિષદ શ્રી પંચદશનામ જુના અખાડા) , શ્રી મહંત રવિન્દ્રપુરીજી મહારાજ (અધ્યક્ષ અખિલ ભારતીય અખાડા પરિષદ), મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ રૂષિભારતીજી મહારાજ( ભારતી આશ્રમ સરખેજ), શ્રી પી પી સ્વામી (સ્વામીનારાયણ મંદિર જેતલપુર) તેમજ નામી અનામી સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે.

ગુજરાત ગુરૂબ્રાહ્મણ સમાજ માટે ગૌરવ દિવસ પંચનાદ જુના અખાડા માં મહંત શ્રી શ્રી મહેન્દ્રનંદ ગિરી મહરાજ ને જગતગુરૂ ની પદવી બાદ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માં આપણી અક્કલ સાહેબ ની દેહાણ જગ્યા ના મહંત શ્રી પરમ પૂજ્ય કૃષ્ણવંદન બાપુ ને આજ રોજ સાંધુ સંતો મહંતો ની ઉપસ્થિતી માં શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર ની પદવી આપવા માં આવી છે ત્યારે સમગ્ર ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ માટે આનંદ નો અવસર છે પૂજ્ય કૃષ્ણનંદગીરી મહારાજ ને લાખ લાખ વંદન ,સાથે અભિનંદન કરતા ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ગુજરાત હર્ષ ની લાગણી અનુભવે છે

રિપોર્ટર:-ધામેલ દીપકકુમાર જી(શેખપર)
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.