જંગલેશ્વરમાં પેટની બીમારીથી કંટાળી યુવકે ફીનાઇલ ગટગટાવ્યું - At This Time

જંગલેશ્વરમાં પેટની બીમારીથી કંટાળી યુવકે ફીનાઇલ ગટગટાવ્યું


જંગલેશ્વરમાં આવેલ તવકકલ ચોક પાસે રહેતાં શબ્બીરભાઈ કરીમભાઈ સમા (ઉ.વ.25) ગતરોજ ઘરે હતાં ત્યારે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે યુવક લાંબા સમયથી પેટની બીમારીથી પીડિત હતો જેનાથી કંટાળીને પગલું ભર્યું હતું. જેને સંતાનમાં એક પુત્રી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.