બાલાસિનોર ટાઉન પો.સ્ટેનાં અપહરણનાં ગુન્હામાં આરોપીને સુરેન્દ્રનગર ખાતેથી પકડી પાડતી બાલાસિનોર ટાઉન પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vafplbjpdcghnnmo/" left="-10"]

બાલાસિનોર ટાઉન પો.સ્ટેનાં અપહરણનાં ગુન્હામાં આરોપીને સુરેન્દ્રનગર ખાતેથી પકડી પાડતી બાલાસિનોર ટાઉન પોલીસ


પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી,જયદીપસિહ જાડેજા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી.કે.બી.વસાવા સાહેબ,લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યકિતઓ શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને બાલાસિનોર પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ એ.એન.નિનામાં સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ બાલાસિનોર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમની રચના કરવામાં આવેલ.

બાલાસિનોર ટાઉન પો.સ્ટે ફ.ગુ.ર.નં ૧૧૧૮૭૦૦૨૨૪૦૦૬૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ 393,3૬૬ વિગેરેના કામે નાસતો ફરતો આરોપી નિલેશભાઇ સબુરભાઇ નાયક ઉ.વ.૨૦ રહે.સુલિયાત ભલાડા ફળીયુ તા.ગોધરા જી.પંચમહાલ નાઓ વણોદ તા.પાટડી જી.સુરેન્દ્રનગર મુકામે રહે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત ભોગ બનનાર તથા આરોપીને ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]