શ્રી વિસામણ બાપુની જગ્યા પાળીયાદ ધામ ખાતે આજે બીજની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી વિસામણ બાપુની જગ્યા પાળીયાદ ધામ ખાતે આજે બીજની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી


આજરોજ અષાઢ વદ - ૨ બીજ , વિક્રમ સવંત ૨૦૭૮ ના પાવન શુભ દીવસ નીમીત્તે "પ.પૂ. શ્રી વિસામણબાપુની જગ્યા, પાળીયાદ ધામ ખાતે મંહત શ્રી પ.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા તેમજ ચંચાલક શ્રી વંદનીય એવા ભયલુબાપુ ની પ્રેરણાથી વિહળધામ પાળિયાદ ખાતે દીવ્ય શણગાર કરવામાં આવ્યો હતો તેમજ તેમજ પાળીયાદ ધામમાં બીજ અને અમાસ નું ખુબજ બહુંજ મોટુ મહત્વ છે ત્યારે આજરોજ તા,૧૫/૦૭/૨૦૨૨ ના રોજ બીજ હોવાથી હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તે ઉપરાંત પુજારી શ્રી દ્વારા ધૂપ દીપ પ્રગટાવી ઢોલ નગારા સાથે આરતી કરવામાં આવી આ અનેરા અવસર નો હજારો ભાવિક ભક્તો એ પ્રત્યેક્ષ તેમજ ઓનલાઇન Vihaldham Paliyad_ Official યુટયુબ ચેનલ દ્વારા લાભ લઈ ધન્યતા અનુભવી હતી .

રીપોટર
હરેશભાઈ ધાધલ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.