રાજકોટ-વિરનગરમાં પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત, પરિવારજનોનો હત્યાનો આક્ષેપ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uin1a2vjmvhoyd5g/" left="-10"]

રાજકોટ-વિરનગરમાં પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત, પરિવારજનોનો હત્યાનો આક્ષેપ.


રાજકોટ શહેર તા.૩૦/૭/૨૦૨૨ ના રોજ રાજકોટના જસદણ તાલુકાના વિરનગર ગામે રહેતી પ્રીતિબેન દિલીપભાઈ દાફડા નામની ૨૨ વર્ષીય પરિણીતાએ પોતાના સાસરિયામા ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતા મૃતક પ્રીતિબેનના પિતા ગોરધનભાઇને જાણ થતાં તેઓ તુરંત વિરનગર દોડી ગયા હતા. જ્યાં પહોંચતા તેઓએ તેમની પુત્રી પ્રીતિ સેટી પર સુતેલી જોવા મળી હતી અને સાસરિયાઓએ પોલીસ કે ૧૦૮માં જાણ પણ કરી ન હતી. જેથી ગોરધનભાઇ ૧૦૮માં જાણ કરતા ENT દ્વારા પ્રિતિબેનનું ૮ થી ૧૦ કલાક પહેલા મોત થયાનું જણાવ્યું હતું. જેથી આ અંગે પ્રીતિબેનના પિતા ગોરધનભાઇ સાસરિયાઓ પર હત્યાના આક્ષેપ કર્યા હતા. જેથી પોલીસે ફોરેન્સિક PM માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો. જ્યાં ગોરધનભાઇને જણાવ્યા મુજબ આજથી ૬ દિવસ પહેલા પ્રિતિબેનના સસરા જગદીશ મૂળજીનો ફોન આવ્યો હતો અને માથાકૂટ કરી પૈસાની માંગણી કરી હતી. તે દરમિયાન પ્રીતિ પાસેથી સસરાએ મોબાઈલ લઈ લેવાનુ કહેતા પિતાએ પોતાની પુત્રીને પણ સાથે લઈ જવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ જગદીશ મૂળજી અને પતિ દિલીપે સહિતનાઓએ અત્યારે નહિ પછી લઈ જજો તેવું કહ્યું હતું. ત્યારબાદ આજરોજ ૬ દિવસ બાદ તેમની પુત્રીનું મોત નીપજતાં પિતાએ પોલીસ સમક્ષ પોતાની પુત્રીની હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]