જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાના અધ્યક્ષસ્થાને ગોધરા તાલુકાના મોરડુંગરા ખાતે કાર્યક્રમ યોજાયો - At This Time

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાના અધ્યક્ષસ્થાને ગોધરા તાલુકાના મોરડુંગરા ખાતે કાર્યક્રમ યોજાયો


વિકસિત ભારત સંકલ્પ યાત્રા,પંચમહાલ

૧૬૫૦ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી તથા ૪૫ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ અપાયો

ગોધરા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામ લોકોએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું.પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ખેતીવાડી,આરોગ્ય વિભાગ,ગ્રામ વિકાસ,મિશન મંગલમ,આઈ.સી.ડી.એસ,પી.એમ ઉજ્જવલા યોજના,લીડ બેંક અંતર્ગત સરકારશ્રીના સંલગ્ન વિભાગોના સ્ટોલ લગાવીને કુલ ૧૬૦૫ લોકોને લાભાન્વિત કરાયા હતા.જેમાં ૧૫૬૦ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ હતી જ્યારે ૪૫ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો.જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાકૃતિક ખેતી સાથે ડ્રોનનું નિદર્શન કરાયું હતું. આઈ.સી.ડી.એસ વિભાગ અંતર્ગત મહિલાઓને માતૃશક્તિના પેકેટ વિતરણ કરાયા હતા.મહાનુભાવોના હસ્તે હાજર લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત માહિતી અને પુસ્તિકાનું વિતરણ કરાયું હતું.
આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી ભરતભાઈ પટેલિયાએ યોજના અંતર્ગત મેળવેલ લાભ વિશે પોતાનો પ્રતિભાવ રજૂ કરીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.કુલ ૨૦ રમતવીરો અને મહિલાઓને સન્માનિત કરાયા હતા.આ સાથે “ધરતી કરે પુકાર”હેઠળ નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી અર્જુનસિંહ પટેલ,નાયબ માહિતી નિયામક સુશ્રી પારૂલ મણિયાર,તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.કે.ગરાસીયા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ,મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.