શ્રી જાનકી વલ્લભો વિજયતે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tzetutadk4i6vauo/" left="-10"]

શ્રી જાનકી વલ્લભો વિજયતે


શ્રી જાનકી વલ્લભો વિજયતે

સૌરાષ્ટ ની દેહાણ પરંપરા ની જગ વિખ્યાત અને પાંચાળ પ્રદેશ નું પ્રગટ પિરાણુ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવુ *પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ના મહંત મહારાજ પરમ વંદનીય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ પાળીયાદ જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ બાળઠાકરશ્રી પૃથ્વીરાજબાપુ તેમજ પુ.શ્રી ગાયત્રીબા , પુ.શ્રી દિયાબા સહિત સમગ્ર ઠાકર પરીવાર દ્વારા વડોદરા ખાતે પાળીયાદ ના ઠાકર ની ભવ્ય પધરામણી તા.૬/૧૦/૨૦૨૨ થી ૧૬/૧૦/૨૦૨૨ સુધી નો ભવ્ય કાર્યક્રમ રાખેલ હોય જેમાં દરરોજ રાત્રી ના ગુજરાત ના નામચીન કલાકારો દ્વારા ભજન સંતવાણી થશે...
આજ રોજ પુ.બા શ્રી ની ભવ્ય પધરામણી ની ભવ્ય શોભાયાત્રા મા હજારો વિહળ પરીવાર ના સેવક સમુદાય ના લોકો સાથે સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિત મહાનગર પાલિકા ના કોર્પોરેટર પણ જોડાયા હતા તેમજ હાથી , ઘોડા , ઊંટ , બુલેટ બાઈક તેમજ કારનો વિશાળ કાફલો અને અંદાજીત એક કી.મી લાંબી શોભાયાત્રા સાથે ભવ્ય સત્કાર સમારંભ ઉજવાયો...
પુ. બા શ્રી નો ઉતારો કિશોરભાઈ ધરમશીભાઈ તુરખિયા ને ઘરે રહેશે
દરરોજ રાત્રી ના સમાછાણી કેનાલ રોડ ખાતે આવેલ પૃથ્વીરાજ પંચમ પાર્ટી પ્લોટ ખાતે ભજન સંતવાણી યોજાશે...
આ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ પીર યોગીજી શેરનાથજી બાપુ , ચાંપરડા આશ્રમ ના મહંત શ્રી મુક્તાનંદ બાપુ , સતાધાર ની ગીગાબાપુ ની જગ્યા ના મહંત વિજયબાપુ તેમજ ઘાટવડ આશ્રમ ના મહંત ઇન્દ્રભારથીજી બાપુ પણ પધરામણી કરશે

Report, Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]