ગઢપુર ગોપીનાથજી મહારાજ દેવ મંદિર આયોજિત પૂજ્ય શ્રી આનંદસ્વરૂપ સ્વામીના શ્રીમુખે પવિત્ર શ્રવણ માસ માં દ્વિશતાબ્દી મહોત્સવ વચનામૃત કથા નો પ્રારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/top5mub7qnjd3yny/" left="-10"]

ગઢપુર ગોપીનાથજી મહારાજ દેવ મંદિર આયોજિત પૂજ્ય શ્રી આનંદસ્વરૂપ સ્વામીના શ્રીમુખે પવિત્ર શ્રવણ માસ માં દ્વિશતાબ્દી મહોત્સવ વચનામૃત કથા નો પ્રારંભ


ગઢપુર દરબારગઢ ગોપીનાથ દેવ મંદિર સંસ્થાન પરિસર ખાતે શ્રી ગોપીનાથજી મહારાજ ગઢપુર સંસ્થાન દ્વારા આયોજિત પવિત્ર શ્રાવણ માસમાં સંતોના શ્રીમુખે  વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ના પાવન પ્રસંગે વચનામૃત કથા પ્રારંભ ૨૯/૦૭/૨૦૨૨ શ્રાવણ સુદ એકમ શુક્રવાર થી પ્રારંભ કથા સત્ર સવાર ના ૮-૩૦ થી ૧૦-૩૦ બપોર પછી ૪-૩૦ થી સાંજ ના ૭-૦૦ સુધી સ્થળ શ્રી દરબારગઢ ૫.પૂ વિદ્વાન શાસ્ત્રી આનંદસ્વરૂપદાસજી સ્વામી દામનગર સ્વામી નાયરણ  ગુરૂકુળ ના સંત શ્રી સ્વામી વિષ્ણુચરણદાસજી એવમ ચંદ્રપ્રકાશદાસજી ના સુશિષ્ય શ્રી આનંદસ્વરૂપ સ્વામી ની પાવન નિશ્રા માં શ્રાવણ સુદ એકમ તા.૨૯/૭/૨૨ શુક્રવાર થી પ્રારંભયેલ વચનામૃત કથા ની આગામી શ્રાવણ વદ અમાસ ને તા.૨૭/૮/૨૨ ને શનિવાર ના રોજ પૂર્ણાંહુતી દરમ્યાન સ્વામિનારાયણ મંદિર ગઢપુર સંસ્થા ના અનેકો વરિષ્ઠ અને વિદ્વાન સંતો ની દિવ્યવાણી નો અવિરત લાભ ભાવિકો ને એક માસ જેવો સમય ચાલનારી અંતરઆત્મા ને આનંદિત કરતી વચનામૃત કથા માં સદશાસ્ત્ર અને માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે વચનામૃત કથા નું આગામી  તા.ર૩/૦૮/૨૦૨૨ થી ૨૫/૦૮/૨૦૨૨ બે દિવસીય લાઈવ પ્રસારણ પણ સદવિદ્યા અને ગઢપુર ચેનલો ઉપર થી થનાર છે ૫.પૂ.આચાર્ય મહારાજ શ્રી ના રૂડા આશીર્વાદ થી નિરંતર એક માસ સુધી વચનામૃત કથા નો લાભ મેળવવા ભાવિકો ને પૂજ્ય સંતો નો અનુરોધ છે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]