રાજકોટના નાકરાવાડીમાં ગળેફાંસો લગાવી આપઘાત - At This Time

રાજકોટના નાકરાવાડીમાં ગળેફાંસો લગાવી આપઘાત


રાજકોટના નાકરાવાડીમાં રહેતાં પ્રીતમ ભલાભાઈ સાધરીયા (ઉ.વ.18) એ ગતરોજ પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં કુવાડવા રોડ પોલીસ દોડી ગઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરની ભાગોળે આવેલ નાકરાવાડીમાં રહેતાં પ્રીતમ કોળી ડ્રાઇવિંગ કામ કરતો હતો અને તેની માતા સાથે તેના પિતાએ છૂટાછેડા લઈ લીધેલ હતાં, અને ત્યારબાદ બેનાબેન નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતાં.જે બાદ તેઓ સાથે રહેતાં હતાં. ગતરોજ તેની માતા ઘરને તાળુ મારી બઝારમાં ગયાં હતાં. ત્યારે ઘરે આવેલા પ્રીતમે ઘરના દરવાજે તાળું મારેલું જોઈ મકાનની દિવાલ ઠેકી અંદર જઇ ઉપરના માળે રૂમમાં અગમ્ય કારણોસર પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
જે બાદ બહારથી આવેલ તેની માતાએ રૂમ ખોલતાં પુત્ર લટકતો હતો. માતાએ આક્રંદ મચાવતા આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. બનાવ અંગે પરિવાર પણ અજાણ હોવાનું રટણ કર્યું હતું.મૃતક બે ભાઈ એક બહેન હતાં. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.