"શતમ જીવમ શરદ:" માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મ દિવસ નિમિત્તે તેમની જન્મ ભૂમિ વડનગર ખાતે વિશેષ કવિ સંમેલન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ssr35jia9wryrio0/" left="-10"]

“શતમ જીવમ શરદ:” માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મ દિવસ નિમિત્તે તેમની જન્મ ભૂમિ વડનગર ખાતે વિશેષ કવિ સંમેલન.


"શતમ જીવમ શરદ:" માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મ દિવસ નિમિત્તે તેમની જન્મ ભૂમિ વડનગર ખાતે વિશેષ કવિ સંમેલન.

જેમાં બોટાદ સમગ્ર જિલ્લામાંથી ગઢડા શહેરના રણજીત બોરીચા (ૐકાર) નો થયેલ સમાવેશ.

ભારતના માનનીય પ્રધાનમંત્રીશ્રી વડનગર ના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્ર મોદીજી ના 73 મા જન્મ દિવસને ખાસ બનાવવા તેઓશ્રીની જન્મભૂમિ ખાતે "શતમ જીવમ શરદ:" કવિ સંમેલન યોજાશે.
નવ સર્જન સાહિત્ય મંચના ઈવા પટેલ અને "પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ" દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભારત ભર માંથી 73 કવિશ્રીઓ વડાપ્રધાનશ્રીના 73 જન્મ દિવસને વિશેષ બનાવવા તેઓશ્રીના જીવન આધારીત કવિતાઓનુ પઠન કરી પ્રધાનમંત્રીશ્રીને શુભેચ્છાઓ પાઠવશે.
જેમાં સમગ્ર બોટાદ જિલ્લામાંથી ગઢડા તાલુકા માંથી રણજીત બોરીચા (ૐકાર), આચાર્યશ્રી કમારીબાઈ કન્યા શાળા - ગઢડા સહભાગીદાર થઈ પ્રતિનિધિત્વ કરશે.
તેમજ કવિશ્રીઓ દ્વારા રચિત એક સો જેટલા આ કાવ્યોના સંપાદિત થનાર કાવ્ય સંગ્રહના મુખ્ય પૃષ્ઠ વિમોચન પણ આ તકે કરવામાં આવશે.
તારીખ : 15/9/2023 ના રોજ હોટેલ રિઝા, વડનગર ખાતે યોજાઈ રહેલ આ કવિ સંમેલનમાં મોટી સંખ્યામાં "શતમ જીવમ શરદ:" ભારત ભરમાં પ્રથમવાર યોજાઈ રહ્યોછે.જેમાં વડનગરના વિશિષ્ટ નાગરિકો ને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ ને વિશિષ્ટ અને *વિક્રમ સર્જક* બનાવવા માટે આયોજકો "ઈવા પટેલ અધ્યક્ષશ્રી નવસર્જન સાહિત્ય મંચ" તથા "દિપક રાવલ સી.આર.સી. કો ઓર્ડીનેટર વડનગર," ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]