ભેંસાણ માં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ નું સ્નેહ મિલન યોજાયું - At This Time

ભેંસાણ માં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ નું સ્નેહ મિલન યોજાયું


ભેંસાણ માં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ નું સ્નેહ મિલન યોજાયું

આજરોજ ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારોનું સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના પત્રકારો હાજર રહી સાથે મળી એકબીજાને નુતન વર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવી હતી પત્રકાર એ દેશની ચોથી જાગીર છે. તેમની ખુબ મોટી જવાબદારી હોય છે. પ્રજા ના અંધકારમય જીવનમાં તેજની આસા નું કિરણ એટલે પત્રકાર છેવાડાના માણસનો અવાજ અને છેલ્લી આશા એટલે મીડિયા, પત્રકારની હોય છે તેમના માટે પત્રકારો એક, મેક, અને નેક બનીને કામ કરે, છે, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે મીડિયા નું ખૂબ મહત્વનુ અને પાયાનું કામ હોય છે તે જીવન જોખમે પણ પત્રકારો કરતા હોય છે. ત્યારે ભેંસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ શ્રી ગોપાલભાઈ એ બધાને શુભેચ્છાઓ આપી હતી, દેશની આઝાદી હોય કે સમાજનું કોઈ પણ કામ હોય તેમાં મીડિયા नी બહુ મહત્વની ભૂમિકા હોય છે સરકાર અને પ્રજા ની વચ્ચે જોડતી કડી એટલે મીડિયા આ મીડિયા ખભે ખભો મિલાવી કામ કરે, છે પત્રકારો સમાજમાં થતી અગવડ ની વચ્ચે પણ નાત, જાત, કે ધર્મ ના ભેદ ભાવ વગર કામ કરે છે અને કરતા રહે તે વી નૂતન વર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવી હતી આ તકે જિલ્લામાંથી જિલ્લા સંગઠન મંત્રી રેનીશભાઈ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તાલુકા મહા મંત્રી શ્રી તરૂણભાઇ મેલવાણી, ઉપપ્રમુખ દિલીપભાઈ ગઢવી તેમજ સહમંત્રી પંકજભાઈ વેગડાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મોટી સહમત ઉઠાવી હતી........
..... રિપોર્ટ બાય પંકજ વેગડા ચુડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.