સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં અખાત્રીજ નિમિતે યોજાયો ભવ્ય આમ્રોત્સવ - At This Time

સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં અખાત્રીજ નિમિતે યોજાયો ભવ્ય આમ્રોત્સવ


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા:-૧૦/૦૫/૨૦૨૪ને શુક્રવાર,વૈશાખ સુદ -3 અખાત્રીજ( અક્ષયતૃતીયા) એવં પરશુરામ જયંતી નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરાયો છે સવારે 05:40 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી શ્રી હનુમાનજી દાદાને કેરીઓ ધરાવી તથા દાદાના સિંહાસનને ૨૦૦-મણ કેરીઓ દ્વારા શણગાર એવં ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો હતો.બપોરના ૧૧:૦૦ કલાકે “ભવ્ય અમ્રોત્સવ” નિમિતે અન્નકૂટ આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ દાદાના વિશેષ આમ્રોત્સવ દર્શનનો લાભ અનેક હરિભકતોએ લઈ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.