સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દિપોત્સવ ભવ્ય રીતે ઉજવાયો - At This Time

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દિપોત્સવ ભવ્ય રીતે ઉજવાયો


શ્રી વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિપાવલી અમાસ નિમિતે તા.૨૫-૧૦-૨૦૨૨ને મંગળવારના રોજ ભવ્ય રીતે દિપોત્સવ ઉજવાયો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવં સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ હતી. અમાસ નિમિતે દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવેલ તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. ભવ્ય રીતે દાદા સમક્ષ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા અને દાદા lના પ્રાંગણમાં ખૂબ જ સરસ રીતે અને ભવ્યતાથી આતશબાજી કરવામાં આવી . મંદિરના કર્મચારીઓ તેમજ મંદિરમાં રહેલા ભક્તોએ ખૂબ ભાવપૂર્વક આ આતશબાજીનો લાભ લીધો અને ખૂબ જ મંત્રમુગ્ધ થયા. સંગીતના સથવારે અને પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીના સથવારે આ દીપોત્સવ અને આતશબાજીનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો. નૂતન વર્ષ નિમિતે દાદાને સુવર્ણના દિવ્ય વાઘા ધરાવવામાં આવેલ. હજારો હરિભક્તોએ દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.