નેત્ર નિદાન કેમ્પ અમરેલી પાસે ના ચિતલ ગામે ૯૯ મોને નેત્ર નિદાન કેમ્પ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s51fxbp1eyhrfbzo/" left="-10"]

નેત્ર નિદાન કેમ્પ અમરેલી પાસે ના ચિતલ ગામે ૯૯ મોને નેત્ર નિદાન કેમ્પ યોજાયો


નેત્ર નિદાન કેમ્પ અમરેલી પાસે ના ચિતલ ગામે ૯૯ મોને નેત્ર નિદાન કેમ્પ યોજાયો

વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે અમરેલી મધ્યસ્થ બેંકના બ્રાન્ચ મેનેજર સુરેશભાઈ તળાવીયાની અધ્યક્ષતા માં 99 મોં નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.

મોતીભાઈ લક્ષ્મીકાંત્ત કાનાણી ના સહયોગથી યોજાયેલ આ કેમ્પ નું ઉદ્ઘાટન અમરેલી તાલુકા પંચાયત ના ચેરમેન જે.બી. દેસાઈ અને નાગદેવતા મંદિર અમરેલી ના મહંત હાર્દીક ગિરિ બાપુ વરદ હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સેવા પ્રમુખ યુવરાજસિંહ પલવાર વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્રના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, ગાયત્રી મંદિર ટ્રસ્ટ અમરેલી ના ટ્રસ્ટી હિરેનભાઈ ચાવડા ,મહિલા અગ્રણી રંજનબેન ડાભી, ઉપ સરપંચ. રઘુવીરસિંહ સરવૈયા વગેરે ઉપસ્થિત રહેલ હતા.
કેમ્પને સફળ બનાવવા માટે દીનેશભાઈ મેશીયા ,બિપીનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા,રાજુભાઈ ધાનાણી ,બકુલભાઈ ભીમાણી, કાળુંભાઈ અસલાલિયા વગેરે જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલ હતું.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]