ધંધુકામાં સર્કલ નજીક મસમોટા ખાડાથી અકસ્માતની શકયતા - At This Time

ધંધુકામાં સર્કલ નજીક મસમોટા ખાડાથી અકસ્માતની શકયતા


ધંધુકામાં સર્કલ નજીક મસમોટા ખાડાથી અકસ્માતની શકયતા

તંત્રવાહકોની લાપરવાહીથી લોકોમાં રોષ

ભાવનગર-અમદાવાદ ધોરી માર્ગના ધંધુકા રાણપુર પોલીસચોકી પાસેના સર્કલ પર રોડ બેસી ગયો છે. અહિ મસમોટો ખાડો પડયો છે જેની મરામત કરવાની તંત્રવાહકોને કંઈ પડી નથી જેથી રાહદારીઓને ખાસ કરીને વાહનચાલકોને પારાવાર સહન કરવુ પડે છે.
ખાડાને લઈને વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ, રાજકીય પક્ષોના નેતાઓ અને જવાબદાર તંત્રને ધંધુકાના પ્રવેશદ્વાર ઉપરના ખાડાઓ દેખાતા નથી.ધંધુકા રાણપુર, સર્કલ,ભાવનગર-અમદાવાદ ધોરી માર્ગ પરનો રોડ બેસીને ખાડો ઘણા મહિનાઓથી પડી ગયો છે. ૨૪ કલાક વાહન વ્યવહારથી સતત ધમધમતા આ માર્ગ પરના ખાડો બુરવાની અને તેની મરામત કરવાનો કોઈને સમય નથી. જેથી રાહદારીઓ અને વાહનચાલકોને ત્યાંથી પસાર થવામાં સંભાળવુ પડે છે. ધંધુકા સર્કલ પરની પોલીસ ચોકીને અડીને આવેલો આ ખાડો બુરવામાં તંત્રવાહકો જાણી જોઈને વિલંબ દાખવી રહ્યા હોય વારંવાર વાહનો ખાડામાં સ્લીપ ખાઈ જાય છે. આ ઉપરાંત સામેના પ્રવેશ દ્વાર પર પણ મોટા ખાડાઓ પડયા છે. ભવિષ્યમાં પ્રાણઘાતક અકસ્માત થાય તે પહેલા સત્તાધીશો આ ખાડો બુરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.