પ્રજાપિતા વિશ્વ વિદ્યાલય બ્રહ્માકુમારી કેન્દ્ર લાઠી શહેરમાં મહા શિવરાત્રી રથયાત્રા અને શિવકથા યોજાય - At This Time

પ્રજાપિતા વિશ્વ વિદ્યાલય બ્રહ્માકુમારી કેન્દ્ર લાઠી શહેરમાં મહા શિવરાત્રી રથયાત્રા અને શિવકથા યોજાય


પ્રજાપિતા વિશ્વ વિદ્યાલય બ્રહ્માકુમારી કેન્દ્ર લાઠી શહેરમાં મહા શિવરાત્રી રથયાત્રા અને શિવકથા યોજાય

લાઠી પ્રજાપિતા વિશ્વ વિદ્યાલય બ્રહ્માકુમારી કેન્દ્ર લાઠી શહેરમાં મહા શિવરાત્રી નિમિતે ભગવાન શિવ ની એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ખૂબ મોટી સખ્યામાં પદયાત્રીઓ તથા બાઇક, કાર રેલી થી લોકો જોડાયા હતા. જે શોભાયાત્રા નું ધારાસભ્ય જનકભાઈ તળાવિયા એ પ્રસ્થાન કરાવેલ. આ તકે જીતુભાઇ ડેર, ભરતભાઈ સુતરિયા, ભરતભાઇ પાડા, તેમજ બ્ર.કુ.ચંપાદીદી બ્ર.કુ.યોગીતાબેન ઉપસ્થિત રહેલ અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રાજુભાઇ રીઝીયા, જયતિભાઈ ભલાલા, ભીખુભાઇ ચૌહાણ, પ્રેમજીભાઈ લાઠીયા, અશોકભાઇ વાવડીયા, હરિભાઈ વાવડીયા, ડૉ.જોશીસાહેબ, મનહરભાઈ આહુજા, રમેશભાઈ ચૌહાણ, હિમતભાઈ ધોળકિયા, શૈલેષભાઈ લાડોલા તેમજ મજુબેન, રસિલાબેન, રીનાબેન અશોકભાઈ કથીરિયા બી ટી ભાલાળા સાહેબ સહિત ના શ્રધ્ધાળુ ભાવિકો જહેમત ઉઠાવેલ.અને સમગ્ર કાર્યક્રમ નું સચાલન રાજુભાઇ રીઝિયા એ કરેલ. અને શિવરાત્રી ની સાંજે સન્યાસ આશ્રમ ખાતે શિવ કથાનું આયોજન કરેલ જેમાં બ્ર.કુ.યોગીતાદીદી એ શિવ કથાનું રસપાન કરાવેલ..જેમાં 300 લોકોએ શિવકથા નો લાભ લીધેલ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.