ઇડરના કુકડિયામાં નદી કિનારે સ્મશાન પાસેથી ત્રણ દિવસથી ગુમ યુવકની લાશ મળતાં ચકચાર - At This Time

ઇડરના કુકડિયામાં નદી કિનારે સ્મશાન પાસેથી ત્રણ દિવસથી ગુમ યુવકની લાશ મળતાં ચકચાર


ઇડરના કુકડિયાનો યુવક ત્રણ દિવસથી ઘરેથી ગુમ હતો. જેની લાશ કુકડીયા પાસે આવેલ નદીના કિનારે સોમવારે મળતાં ચકચાર મચી હતી. ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

કુકડિયાના વતની વણકર મનીષભાઈ હરિભાઈ (23) બે ત્રણ દિવસથી ઘરેથી ગુમ થતાં જેની જાણ અરજી 5 મે ને રવિવારના રોજ ઇડર પોલીસમાં કરાઈ હતી. 6 મેના રોજ કુકડિયા પાસે આવેલ સ્મશાન પાસે તળાવ પાસે કોઈએ લાશ જોતા ગામમાં જાણ કરી હતી. આ વાતની જાણ પોલીસને થતાં જ બડોલી ઓપીના એ.એસ.આઇ વિક્રમભાઈ પટેલે ઘટનાસ્થળ પહોંચી ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પરિવારજનો દ્વારા યુવકના મોત થવા અંગે શંકાને લઈ ડોગ સ્કવોડ સહિત યોગ્ય તપાસ કરી મોતનું સાચું કારણ જાણવા પોલીસને જાણ કરાઇ હતી.પોલીસે ડોગ સ્કવોડ દ્વારા તપાસ બાદ એફએસએલ સહિતની તપાસ હાથ ધરી યુવકના મોત અંગે કાર્યવાહી હાથ ધરી હતી.
યુવક ટ્રેક્ટરના ફેરા અને મજૂરી કરતો હતો. બાળકોમાં બે દીકરી અને એક વર્ષનો એક દીકરો છે. યુવકના મોતના પગલે પરિવાર અને ગામમાં શોકની લાગણી છવાઈ હતી. ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

પરિવારે મોતની શંકાને લઈ ડોગ સ્કવોડ સહિત યોગ્ય તપાસ કરવા પોલીસને જાણ કરી

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.