દામનગર નવજ્યોત વિદ્યાલય થી રામાયણ ની અલ્પાકૃતિ ની પ્રસ્તુતિ કરતી ભવ્ય રેલી આકર્ષણ નું કેન્દ્ર બની - At This Time

દામનગર નવજ્યોત વિદ્યાલય થી રામાયણ ની અલ્પાકૃતિ ની પ્રસ્તુતિ કરતી ભવ્ય રેલી આકર્ષણ નું કેન્દ્ર બની


દામનગર નવજ્યોત વિદ્યાલય થી રામાયણ ની અલ્પાકૃતિ ની પ્રસ્તુતિ કરતી ભવ્ય રેલી આકર્ષણ નું કેન્દ્ર બની

પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ અદમ્ય ઉત્સાહ
દામનગર નવજ્યોત વિદ્યાલય થી પ્રસ્થાન થયેલ રામાયણ ની પ્રસ્તુતિ કરતી વિશાળ રેલી ધ્યાનાકર્ષક રીતે શહેરભર ના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી અસંખ્ય પાઘડી બંધ મહિલા અને ધર્મ ધ્વજ પોસ્ટર બેનર સાથે જય જય શ્રી રામ ના ગગન ભેદી નાદ સાથે
શહેર ના મુખ્ય રાજ માર્ગો અને સખ્ય રહેણાંક વિસ્તારો માં સર્વત્ર કેસરી રંગે રંગાયેલ ભવ્ય રેલી દર્શનીય નજરો રચતી વહન થઈ હતી નાના બાળકો ને સંપૂર્ણ રામાયણ ના અમર પાત્રો ની અલ્પાકૃતિ પ્રદર્શિત કરતા વેશભૂષા સાથે અવધ ની આબેહૂબ પ્રસ્તુતિ કરતી અભિભૂત કરનારી ભવ્ય રેલી
શહેર ના રામજી મંદિરે આવી પહોંચતા સમગ્ર રામજી મંદિર એવમ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર સેવક સમુદાય દ્વારા ભવ્ય સત્કાર કરાયો હતો

એક કિમિ કરતા લાંબી રેલી શહેર ની નવજ્યોત વિદ્યાલય ખાતે થી શાળા પરિવાર દ્વારા પ્રસ્થાન કરાય હતી દરેક વિસ્તારો માંથી પસાર થતી ભવ્ય રેલી ની એક ઝલક જોવા શ્રધ્ધાળુ ભાવિકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.