પટેલનગરમાં દંપતિ બાખડ્યું: યુવકને પત્નીએ છરી ઝીંકી - At This Time

પટેલનગરમાં દંપતિ બાખડ્યું: યુવકને પત્નીએ છરી ઝીંકી


પટેલનગર-11માં કૈલાસ પાન શેરીમાં રહેતા ભુપતભાઈ કરશનભાઈ રાઠોડ (ઉ.વ.32)ને ગત રોજ તેની પત્ની મંજુબેને કોઇ કારણોસર ઝઘડો કરી છરી વડે હુમલો કરતાં શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્તના સંબંધીએ જણાવ્યું હતું કે ભુપતભાઈ પર હુમલો કરનાર મંજુબેનના ત્રીજા લગ્ન છે અને તેમને સંતાનમાં એક પુત્રી છે. બન્ને વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થતાં મારામારીનો બનાવ બન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.