પી.એમ. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે માળીયા હાટીના માં વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાણો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qdmhyek8016nzb9m/" left="-10"]

પી.એમ. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે માળીયા હાટીના માં વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાણો


માળીયા હાટીના ખાતે પી.એમ નરેન્દ્ર મોદી અને તા.18/7/22 ના રોજ મહેન્દ્રભાઈ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે રણછોડ દાસ આંખ ની હોસ્પિટલ રાજકોટ, સુનિધિ ફાઉન્ડેશન બોમ્બે અને આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મહેન્દ્ર ભાઈ ગાંધીના સયુંકત ઉપક્રમે આજે માળીયા હાટીના માં વણિક મહાજન વાડી ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો હતો

આ કાર્યક્રમની શરૂઆત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટય કરી મહાનુભવો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી આ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો

આ કેમ્પ મા માળીયા હાટીના લોક લાડીલા સરપંચ જીતુભાઇ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, બ્રહ્માકુમારીના બેન મિતાબેન, બ્રહ્માકુમારીના બેન દક્ષાબેન, મુસ્લીમ સમાજના અગ્રણી અમીનભાઈ પઠાણ, મોમીન સમાજના આગેવાનો સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ માં મોટી સંખ્યામાં નેત્ર ઓપરેશનનો લોકોલાભ લીધો હતો

આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી , રઘુભાઈ ગોર, બબલિભાઈ આહુજા, દેવાંણદ સોલંકી, સીરાજભાઈ સમનાણી, અમીર ભાઈ વડસરિયા, અશોકભાઈ બેલીફ સહિતના વ્યવસ્થાપકે ભારી જહેમત ઉઠાવી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]