રાજકોટમાં કોવિડ ક્લેમમાં વિમા કંપનીને 9% વ્યાજ સાથે વીમાધારકને ક્લેમ ચૂકવવા કોર્ટનો આદેશ - At This Time

રાજકોટમાં કોવિડ ક્લેમમાં વિમા કંપનીને 9% વ્યાજ સાથે વીમાધારકને ક્લેમ ચૂકવવા કોર્ટનો આદેશ


રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ ગિરધરલાલ અમરાણીયા દ્વારા પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષા હેતુ ધી ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપનીની મેડીક્લેમ પોલીસી લેવામા આવેલ હતી. દરમિયાન કોરોના બિમારી થતા સ્ટર્લિંગ હોસ્પિટલમા દાખલ થઇ સારવાર લીધી હતી. સારવાર દરમિયાન કુલ 2,84,501 નો ખર્ચ થયો હતો જેની સામે વિમા કંપનીએ પોલીસીની શરતોનુ ખોટું અર્થઘટન કરી રૂપિયા રૂપિયા 1,06,821ની ગેરકાયદેસર કપાત કરવામા આવતા વિમાધારક દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.