વધુ એક બાળકીનો આપઘાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p8giu6f5inuileuo/" left="-10"]

વધુ એક બાળકીનો આપઘાત


રાજકોટનાં મચ્છોનગર વિસ્તારમાં રહેતી અંજલી વઢીયારા નામની બાળકીએ ઓરડીમાં ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી.
બનાવની વધુ વિગત અનુસાર રાજકોટના મચ્છોનગર વિસ્તારમાં રાધેશ્યામ ગૌશાળા પાસે રહેતી અંજલીબેન વિનોદભાઈ વઢીયારા (ઉ.14) ગત રોજ પોતાના ઘરની બાજુમાં આવેલી ઓરડીમાં અગમ્ય કારણોસર પંખના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારે તાત્કાલીક સીવીલ ખસેડી હતી. અને ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં સીવીલે દોડી આવી હતી. અને મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની વિશેષ પુછપરછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક અંજલી તેના કાકા-કાકી સાથે રહેતી હતી. અને ગત રોજ અંતિમ પગલુ ભરી લેતાં પરીવાર પણ બનાવથી સ્તબ્ધ છે. જેમના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]