વિરપુરના ધોરાવાડા કેનાલમાં પરિણીતાની મોતની છલાંગ - At This Time

વિરપુરના ધોરાવાડા કેનાલમાં પરિણીતાની મોતની છલાંગ


વિરપુર તાલુકાના નાની જાંબુડી ગામ પરણાવેલ પરણીતા ઉં.19એ સાસરીયાઓના ત્રાસથી કેનાલમાં કૂંદી જીવન લીલા સંકેલી છે.લગ્ન બાદ પતિના ફોનમાં અન્ય મહિલાના ફોટા જોતા વાતવણસી હતી. પરંતુ પતિનું ઉપરાણું લઇ સસરા અને સાસુ બોલાચાલી કરી હતી.જે લાગી આવતા પરણીતાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.

વિરપુર તાલુકાના સરાડીયા ગામની ઉ.19 વર્ષીય જાગૃતિનું લગ્ન વિરપુરના નાની જાંબુડી ગામના રાજેશ સાથે આશરે દોઢ વર્ષ અગાઉ થયા હતા.પરંતુ એકાદ માસ અગાઉ પરણીતાને તેની સાસરીમાં વળાવવામાં આવી હતી. એક દિવસ પતિના મોબાઈલમાં અન્ય સ્ત્રીના ફોટા જોતાં પૂછપરછ કરી પીયરમાં વાત કરતા દીકરીના પિતા સાસરીમાં આવી પરિણીતાના પતિને ઠપકો આપ્યો હતો.

જે અંગે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં પતિનુ ઉપરાણું લઇ સાસુ અને સસરાએ પણ બોલાચાલી કરી જે અંગે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં પતિનુ ઉપરાણું લઇ સાસુ અને સસરાએ પણ બોલાચાલી કરી હતી. જે બાબત લાગી આવતા પરિણીતા સાસરીમાંથી નીકળી વિરપુરના ધોરાવાડા નજીકથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલમાં રવિવાર સવારે 8 :30 ના અરસામાં મોતની છલાંગ લગાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.