સૌરાષ્ટ્રમાં પણ આંખ થવાના કેસોની સંખ્યામાં અત્યંત વધારો થતાં ઉપલેટા સિવિલ હોસ્પિટલના ખ્યાતનામ આંખના સર્જને બચવા માટેની આપી તમામ માહિતીઓ - At This Time

સૌરાષ્ટ્રમાં પણ આંખ થવાના કેસોની સંખ્યામાં અત્યંત વધારો થતાં ઉપલેટા સિવિલ હોસ્પિટલના ખ્યાતનામ આંખના સર્જને બચવા માટેની આપી તમામ માહિતીઓ


ડો. ખ્યાતિ કેશવાલાએ આંખોના ફેલાઈ રહેલા ઇન્ફેક્શન અંગેની માહિતી આપી આંખ માટે સતર્ક રહેવા જણાવ્યું

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૩ જુલાઇ ૨૦૨૩, વર્તમાન સમયની અંદર આંખો થવાના તેમજ આંખોની સમસ્યાઓને લઈને લોકોને અને કોઈ પ્રકારની તકલીફો પડતી હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આંખને લગતા વાયરલ ઇન્ફેક્શન તેમજ આંખ થવાના કેસોની સંખ્યામાં એકાએક વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના સરકારી હોસ્પિટલ આંખના સર્જન તરીકે ફરજ બજાવતા ખ્યાતનામ સરકારી તબીબ ડો. ખ્યાતિ કેશવાલાએ આંખોના ફેલાઈ રહેલા ઇન્ફેક્શન અંગેની માહિતી આપી છે. આ ઉપરાંત તેમની અસરથી બચવા માટે લોકોએ શું તકેદારી રાખવી તેની વિશેષ માહિતી મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવી છે.

આ અંગે માહિતી આપતા ખ્યાતનામ તબીબ અને ઉપલેટાના સરકારી હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવતા ડો. ખ્યાતિ કેશવાલાએ જણાવ્યું છે કે, વર્તમાન સમયની અંદર વાયરલ ઇન્ફેક્શનને લઈને આંખોની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં અસરની વાત કરવામાં આવે તો આંખોના સફેદ ભાગમાં તેમજ પાપણના ભાગ વિસ્તારની અંદર ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે અને સોજાઓ થઈ રહ્યા છે. આ સાથે લક્ષણો અંગે તેમણે જણાવ્યું છે કે, આંખ બંધ થઈ જાય, આંખમાંથી પાણી નીકળવું, ચેપડા આવે, પાપણ સોજી જાય તેમજ આંખની અંદર કોઈપણ પ્રકારનું પડ્યું હોય તેવું અનુભૂતિ થાય છે અને આંખ ખટકવા લાગે છે પણ આ કોઈ ખટકતી વસ્તુ કે એવું કોઈ નથી પરંતુ આ એક પ્રકારના વાયરલ ઇન્ફેક્શન છે અને આ જલ્દીથી ફેલાઈ રહ્યો છે.

ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આવતા આંખના દર્દીઓ અંગે વધુમાં તેમને જણાવ્યું છે કે, અહિયાં સામાન્ય રીતે આંખ માટેના ૧૫૦ થી ૨૦૦ જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ હાલ આ દર્દીઓ સાથે રોજના ૨૦ થી ૩૦ દર્દીઓ આંખની આ વાયરલ ઇન્ફેક્શન જે ફેલાઈ રહ્યો છે તેની સમસ્યાઓને લઈને સારવાર માટે આવી રહ્યા છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી આ પ્રકારની સમસ્યામાં જે કોઈપણ વ્યક્તિને આની અસર થઈ હોય તેવા વ્યક્તિઓની વસ્તુઓથી દૂર રહેવું અને તેમના સંપર્કમાં આંખ ન આવે કે કોઈ સ્પર્શ ન થાય તેમની ખાસ તકેદારી રાખવી. આ ઉપરાંત જ્યારે પણ લોકો બહાર નીકળો ત્યારે આંખની જાળવણી કરવી ઉપરાંત આંખને હાથ કે અન્ય કોઈ વસ્તુ સાથે ડાયરેક સ્પર્શ ના કરવી તેવું જણાવ્યું છે.

જ્યારે કોઈપણ વ્યક્તિને આ વાયરસની અસર થાય છે ત્યારે અંદાજિત ૧૦ દિવસથી લઈને ૨૦ દિવસ સુધી તેમની અસર રહે છે. આ અસરની સાથે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ તેમના સંપર્કમાં આવે છે તો તેમને પણ આ વાયરલની અસર થાય છે અને તેમને પણ આ પ્રકારની તકલીફ ભોગવવાનો વારો આવે છે. આ પ્રકારની સમસ્યાઓ જ્યારે કોઈપણ દર્દીને આંખમાં જોવા મળે તો ડોક્ટરની સલાહ સુચન વગર કોઈપણ પ્રકારના આંખોના ટીપા કે કોઈપણ વસ્તુને આંખમાં ન નાખવી કારણ કે આ એક પ્રકારની વાયરલ ઇન્ફેક્શન છે જે જલ્દીથી ફેલાઈ રહી છે ત્યારે ડોક્ટરની સલાહ સૂચન વગર કોઈ પણ પ્રકારની જાતે સારવાર કરવાનો પ્રયત્ન ન કરવો તેવું જણાવ્યું છે.

તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.