સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્રદ્રારા માનવ મૃત્યુ સહાય માત્ર ચાર જ દિવસમાં ચુકવાઇ - At This Time

સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્રદ્રારા માનવ મૃત્યુ સહાય માત્ર ચાર જ દિવસમાં ચુકવાઇ


વહિવટી તંત્રની સંવેદનશીલતા

સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા માનવ મૃત્યુ સહાય માત્ર ચાર જ દિવસમાં ચુકવાઇ
****
ભારે વરસાદના કારણે ૫૨ વર્ષિય લાડુભાઇ વાંઘામાં તણાઇ મૃત્યુ પામતા વહિવટી તંત્ર પરીવારજનોની મદદે આવ્યું
****
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં તા. ૧૨ જૂલાઇ ૨૦૨૨ના રોજ દેમતી મેરા ફળીયા ગામે ભારે વરસાદના કારણે વાંઘામાં ભારે પાણી આવવાથી પરમાર લાડુભાઇ જોરાભાઈ તણાઈ જવાથી અકસ્માતે મૃત્યુ થયું હતું. જેની વહીવટી તંત્ર દ્વારા તરત નોંધ લેવાય અને તેમના પરિવારને માનવ મૃત્યુ સહાય યોજનાનો લાભ આપી તેમના પત્ની કેસરીબેનને રૂ. ચાર લાખની સહાય ચૂકવવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના અંતરીયાળ આદિજાતી વિસ્તાર એવા પોશીના તાલુકાના દેમતી મેરા ફળીયાના ૫૨ વર્ષિય લાડુભાઇ જોરાભાઇ પરમાર રાતે ગામમાં દુકાને ઘરનો કોઇ સામાન ખરીદવા ગયા હતા. ઘરે પરત ફરતા સમયે તેમનો પગ લપસતા તેઓ વાંઘાના(નાડિયા) ભારે પાણીમાં તણાઇ જતાં તેમનુ આકસ્મિક મૃત્યુ થતા તેમના પરીવાર પર જાણે આભ ભાટ્યું હતું. લાડુભાઇના પરીવારમાં તેમના પત્નિ કેસરીબેન, માતા-પિતા અને તેમના પાંચ પુત્ર અને ચાર પુત્રીઓ છે.
આ અકસ્માતની જાણ થતા જ ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળે જઈને પંચનામા અને અન્ય વહિવટી કામગીરીમાં મદદ આપી હતી. પરીજનોની આર્થિક સ્થિતિને જોતા વહિવટી તંત્ર દ્રારા બને તેટલી ઝડપી સહાય પરીવારને પહોંચાડવા માટે ભારે જહેમત લીધી હતી. સરકાર દરેક મુશ્કેલીમાં નાગરીકો સાથે છે તેનો નક્કર પુરાવો આપતા માત્ર ચાર જ દિવસમાં લાડુભાઇના પત્નિને સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડ દ્રારા રૂ. ચાર લાખની સહાયનો ચેક ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઇ કોટવાલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

સાબરકાંઠા

આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.