રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા રામનાથપરા વિસ્તારમાં નિર્માણ પામેલ ફ્લાવર માર્કેટના થડાનો ડ્રો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n4xwhysnllalwrd6/" left="-10"]

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા રામનાથપરા વિસ્તારમાં નિર્માણ પામેલ ફ્લાવર માર્કેટના થડાનો ડ્રો.


રાજકોટ શહેર તા.૨૦/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં રસ્તા પર બેસી ફેરિયાઓ ફૂલ વેચાણ કરે છે. ફૂલનું વેચાણ કરતા આ ફેરિયાઓને વેચાણ માટેની સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથપરા વિસ્તારમાં નવી ફ્લાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવેલ છે. સદરહુ માર્કેટમાં કુલ ૮૩ થડાઓ બનાવવામાં આવેલ છે. સદરહુ થડાઓ હાલ રસ્તા પર બેસી ફ્લાવરનો ધંધો કરતા વેન્ડર્સને ફાળવવાનુ નક્કી કરવામાં આવેલ. જેના અનુસંધાને આજ તા.૨૦/૭/૨૦૨૨ના રોજ મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ અધ્યક્ષ સ્થાને લાભાર્થીઓની ઉપસ્થિતમાં થડા ફાળવણી નંબર ડ્રો કરવામાં આવ્યો. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, માર્કેટ સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, ડે.કમિશનર એ.આર.સિંહ, મ્યુનિસિપલ સેક્રેટરી ડૉ.હરીશ રૂપારેલીઆ, આસી. કમિશનર એચ.કે.કગથરા, આસી.મેનેજર બી.એલ.કાથરોટીયા પી.એ.ટુ ચેરમેન સ્ટેન્ડીંગ કમીટી હિમાંશુ મોલીયા તથા ફૂલ માર્કેટના લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવએ તમામ લાભાર્થીઓને શુભેચ્છા આપતા જણાવ્યું કે રસ્તા પર ઘંધો કરતા ફૂલના વેપારીઓને ઠંડી, તડકો, વરસાદ વિગેરેની હાલાકીઓ ભોગવવી પડે છે જે ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરી સુવિધા સાથે ફૂલ માર્કેટ બનાવામાં આવેલ છે. શહેરના રેકડી મારફત ઘંઘો કરતા વેપારીઓ માટે જુદા-જુદા વિસ્તારમાં હોકર્સ ઝોન પણ બનાવવામાં આવેલ છે. આ પ્રકારે રાજકોટ મહાનગરપાલિકા ફેરીયાઓની સતત ચિંતા કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થડાઓ સોપ્યા બાદ રોડ પર બેસીને ફૂલનુ વેચાણ નહી કરવા મેયરશ્રીએ તાર્કીદ કરેલ હતી. આજરોજ સી કેટેગરીના ૩૩ લાભાર્થીઓ અને બી કેટેગરી ૩ મળી કુલ ૩૬ લાભાર્થીઓને પદાધિકારીઓ અને અધિકારીઓના વરદ હસ્તે ચિઠ્ઠી ખેચીને થડા નંબર ફાળવણી ડ્રો કરવામાં આવેલ છે. આજના લાભાર્થીઓને આગળના થડાઓ આપવામાં આવે છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]