*શ્રી ભાલકેશ્વર મિત્ર મંડળ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મતદાન જાગૃતિનો સંદેશ અપાયો* - At This Time

*શ્રી ભાલકેશ્વર મિત્ર મંડળ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મતદાન જાગૃતિનો સંદેશ અપાયો*


*શ્રી ભાલકેશ્વર મિત્ર મંડળ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મતદાન જાગૃતિનો સંદેશ અપાયો*
----------------
*પ્રભુતામાં પગલા પાડતા દંપત્તિઓ સહિતના નાગરિકો લોકશાહીના અવસરમાં સહભાગી થવા સંકલ્પબદ્ધ થયા*
---------------
*લોકશાહીને મજબૂત બનાવવા મતદાન અવશ્ય કરીએ : જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
-----------
ગીર-સોમનાથ,તા.૨૬: તાલાલા ચોકડી વેરાવળ ખાતે આવેલ ભાલકેશ્વર રિસોર્ટમાં શ્રી ભાલકેશ્વર મિત્ર મંડળ આયોજિત સર્વ હિન્દુ સમાજ સમુહ લગ્નોત્સવમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સહભાગી થયાં હતાં અને નવદંપત્તિઓને ભાવી જીવનની શુભકામનાઓ પાઠવવા સાથે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી.

નવદંપતીઓને લગ્નજીવનની શુભકામનાઓ પાઠવતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે ત્યારે કોઈપણ પ્રકારની આળસ ન કરીને મતદાનમાં મતદાન કરવા આગળ આવવું જોઈએ.

આ પ્રસંગે કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં 34 નવયુગલો અને જાનૈયાઓએ ‘હું અવશ્ય મતદાન કરીશ’ના શપથ લીધા હતાં અને સેલ્ફી પોઈન્ટ પાસે મતદાન જાગૃતિની સેલ્ફી લઈ સંકલ્પબદ્ધ થયાં હતાં.

કલેક્ટરશ્રીએ લગ્નપ્રસંગે આયોજીત રક્તદાન શિબિરની મુલાકાત લઈને રક્તદાન કરનાર રક્તદાતાઓની માનવસેવાની આ પ્રવૃત્તિને બીરદાવી હતી અને રક્તદાન સાથે મતદાન પણ અવશ્ય કરવા અપીલ કરી હતી.

આ સમુહલગ્નના અવસરે અધિક નિવાસી કલેકટર શ્રી રાજેશ આલ, નાયબ ચૂંટણી અધિકારી શ્રી પલ્લવીબેન બારૈયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરીચા, વેરાવળ ગ્રામ્ય મામલતદાર શ્રી આરઝૂ ગજ્જર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.