રવિદાસ બાપુની પ્રતિમાનું અનાવરણ:પાટણના રવિધામ સર્કલ પર સમાજના આગેવાનો અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો - At This Time

રવિદાસ બાપુની પ્રતિમાનું અનાવરણ:પાટણના રવિધામ સર્કલ પર સમાજના આગેવાનો અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો


આ ધાર્મિક પ્રસંગે યજમાન પરિવારના નિવાસ્થાનેથી શ્રી રવિદાસ બાપુની ભવ્યાતિ ભવ્ય ભક્તિ સંગીત અને કાજલ મહેરીયાના સુરીલા સુરો વચ્ચે શોભાયાત્રા પ્રસ્થાન પામી રવિધામ સર્કલ ખાતે આવી પહોંચી હતી. જ્યાં દાતા પરિવાર સાથે સંતો મહંતો તેમજ પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ સંત શિરોમણી રવિદાસ બાપુની પ્રતિમાનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અનાવરણ કયુઁ હતું.

પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલ લીલીવાડી સામેના રવિદાસ સર્કલ પર ભાદરવા સુદ બીજને રવિવારના પવિત્ર દિવસે સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુની પ્રતિમાનો ભક્તિસભર માહોલમાં અનાવરણ વિધિ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.

આ ધાર્મિક પ્રસંગમાં સહયોગી બનેલા દાતા પરિવારોને સમાજના આગેવાનો અને સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર લીલી વાડી સામે રવિ ધામ સર્કલ પર સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુની પ્રતિમાના અનાવરણ ના રવિવારે યોજાયેલા ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Bhavan Parmar Ahmedabad
9727654150


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.