ડભોઇ હિન્દુ સંગઠનો દ્વારા ઉદયપુરમાં થયેલ હિન્દૂ યુવકની કરપીણ હત્યા મુદ્દે આવેદનપત્ર. - At This Time

ડભોઇ હિન્દુ સંગઠનો દ્વારા ઉદયપુરમાં થયેલ હિન્દૂ યુવકની કરપીણ હત્યા મુદ્દે આવેદનપત્ર.


ડભોઇ ખાતે વિશ્વ હિન્દુ રક્ષા સંગઠન અને અખિલ ભારત હિન્દૂ મહાસભા દ્વારા રાજસ્થાન ઉદયપુર મા હિન્દુ યુવક કનૈયાલાલ ની કરપીણ હત્યા મુદ્દે તેના પરિવાર ની રકક્ષા અને આર્થિક સહાય સાથે ગુન્હેગારોને સજાની માંગ સાથે ડભોઇ સેવાસદન ખાતે નાયબકલેક્ટર કચેરી માં આવેદનપત્ર પાઠવામાં આવ્યું રાજસ્થાન ના ઉદયપુર માં કનૈયાલાલ નામક યુવક ની આતંકવાદી વિચાર ધારા ધરાવતા કેટલાક ઈસમો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી છે જેને પગલે સમગ્ર હિન્દુ સમાજ માં રોષ ફેલાયો છે ત્યારે આ ઘટના ના વિરોધમાં તેમજ મૃતક ના પરિવાર જનોને ન્યાય રક્ષણ અને આર્થિક સહાય મળે તે માટે ડભોઇ ખાતે વિશ્વ હિન્દુ રક્ષા સંગઠન અને અખિલ ભારત હિન્દૂ મહાસભા ના આગેવાનો દ્વારા આજ રોજ ડભોઇ સેવાસદન ખાતે નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી મૃતક યુવક ને ન્યાય મળે અમે ગુન્હેગારો ને સખ્ત માં સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ સાથે મૃતક ના પરિજનો ને આર્થિક સહાય અને રક્ષણ મળે તે માટે માંગ કરવામાં આવી હતી .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.